SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ચંદનબાળાની કથા ૩૯ શું કૌતુક છે? આટલા બઘા લોકો શા માટે ભેગા થયા છે?” એવું જાણી તે પણ કૌતુક જોવા સાધ્વી પાસે આવ્યો; એટલે જેનું મસ્તક લોચ કરાયેલું છે, જેણે સાંસારિક આસક્તિ તજી દીધી છે અને જેણે ભૂમિપ્રદેશને પવિત્ર કરેલ છે એવી શાંતમૂર્તિ આર્યા ચંદનબાલાને ઘણી જ સાધ્વીઓથી પરિવૃત્ત થયેલી અને ઘણા રાજલોકથી વંદાતી જોઈ. તેથી તેના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું એટલે તેણે પાસે ઊભેલા કોઈ વૃદ્ધ પુરુષને પૂછ્યું કે “આ કોણ છે ને ક્યાં જાય છે?” તે વૃદ્ધ પુરુષે કહ્યું કે સ્થિર ચિત્તે સાંભળ “ચંપા નગરીમાં ‘દશિવાહન' નામનો રાજા હતો. તેને અતિ રૂપલાવણ્ય આદિ ગુણોથી યુક્ત, શીલથી અલંકૃત અને માતા-પિતાને પ્રાણ કરતાં પણ વઘારે પ્રિય એવી “વસમતી' નામની પુત્રી હતી. એક દિવસ દશિવાહન રાજાને કોઈ પણ કારણથી કૌશાંબી નગરીના “શતાનીક' રાજા સાથે કલહ થયો. શતાનીક રાજાએ મોટું સૈન્ય લઈ ચંપાનગરી ઉપર ચડાઈ કરી. દશિવાહન સૈન્ય એકઠું કરી પરિવાર સાથે સામો થયો. મોટું યુદ્ધ થવાથી ઘણા લોકો નાશ પામ્યા. પરિણામે દવિવાહનનો પરાભવ થયો. તેનું સૈન્ય પણ નાશ પામ્યું. શત્રુના સૈન્ય નિર્ભયપણે અનાથ કામિનીને લૂંટે તેવી રીતે ચંપાનગરીને લૂંટી. રાજાનું અંતઃપુર પણ લૂંટ્યું. તે વખતે અંતઃપુરમાંથી નીકળી નાઠેલી અને ભયથી જેનાં નેત્ર ચપળ થઈ ગયાં છે એવી રાજકન્યા વસુમતી, ટોળામાંથી વિખૂટી પડેલી હરિણીની માફક આમતેમ નાસવા લાગી, તેને કોઈ પુરુષે પકડી. શતાનીક રાજાનું સૈન્ય પાછું વળ્યું તેની સાથે વસમતી પણ કૌશાંબીમાં કેદી તરીકે આવી. ત્યાં તેને ચોકમાં વેચવા માટે આણી. તે વખતે કૌશાંબીવાસી “ધનાવહ’ શેઠે મૂલ્ય આપીને તેને ખરીદી. તે તેને જોઈને અતિ હર્ષિત થયો, અને પુત્રી તરીકે સ્વીકારી તેને પોતાના ઘરે લઈ ગયો. એકદા શેઠના પગ ઘોતી વખતે વસુમતીનો કેશપાશ ભૂમિ ઉપર પડતાં શેઠે તેને ઊંચો પકડી રાખ્યો, તે જોઈ તેની ભાર્યા મૂલાએ મનમાં વિચાર કર્યો કે “આ સ્ત્રી અતિ રૂપવંતી અને સૌભાગ્યાદિ ગુણોથી અલંકૃત છે, તેથી મારો ભર્તાર તેના રૂપથી મોહિત થઈ જરૂર મારી અવગણના કરશે; માટે એને દુઃખ આપી ઘરમાંથી હાંકી કાઢું તો ઠીક.” એક દિવસ શેઠ કોઈ કાર્યને માટે બહાર ગામ ગયા. ત્યારે ઘરે રહેલી તેની ભાર્યાએ વસુમતીને કેશ મૂંડાવી નાંખી, પગમાં બેડી નાખી, હાથને મજબૂત બાંધી લઈ ગુમ ઓરડામાં પૂરી દીધી. શેઠ ઘરે આવ્યા એટલે તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “વસુમતી ક્યાં ગઈ છે?” તેણે જવાબ આપ્યો કે હું જાણતી નથી. તે ક્યાંક ગઈ હશે.” સરળ બુદ્ધિવાળા શેઠે વિચાર્યું કે “તેમ હશે.' એ પ્રમાણે ત્રણ દિવસ વીતી ગયા. ચોથે દિવસે કોઈ પાડોશીએ શેઠને પૂછ્યું કે “વસુમતી ક્યાં છે?” તેના દુઃખથી દુઃખિત થયેલા શેઠે કહ્યું કે “હું જાણતો નથી, પરંતુ તે ક્યાંય
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy