________________
૨૬
ઉપદેશમાળા
ગુરુના મહત્વને બતાવે છે– जह सुरगणाण इंदो, गहगणतारागणाण जह चंदो । . जह य पयाण नरिंदो, गणस्सवि गुरू तहाणंदो॥८॥
અર્થ–“દેવતાઓના સમૂહમાં જેમ ઇંદ્ર, ગ્રહગણ ને તારાઓના સમૂહમાં જેમ ચંદ્ર અને પ્રજામાં જેમ રાજા શ્રેષ્ઠ છે તેમ ગણ (સાધુસમૂહ) માં આનંદકારી ગુરુ શ્રેષ્ઠ છે.”
ભાવાર્થ-દેવતાઓ, જ્યોતિષીઓ અને મનુષ્યોમાં જેમ ઇન્દ્ર, ચંદ્ર ને નરેન્દ્રની આજ્ઞાનો અમલ થાય છે તેમ ગચ્છમાં ગુરુની આજ્ઞાનો અમલ થવો જોઈએ; તેમજ દેવતા વગેરેને જેમ ઇંદ્રાદિ આહાદ ઉત્પન્ન કરનાર છે તેમ ગચ્છમાં ગુરુમહારાજ પણ આનંદ ઉપજાવનારા હોય છે.
બાળવયના ગુરુને માટે કહે છેबालोत्ति महीपालो, न पया परिभवइ एस गुरु उवमा । जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि॥९॥
અર્થ–“આ બાળક છે એવી બુદ્ધિએ જેમ રાજાને પ્રજા પરાભવ કરતી નથી તે ઉપમા ગુરુને પણ આપવી; અને જેમ ગીતાર્થને આગળ કરીને મુનિ વિચરે છે તેમ બાળ એવા ગુરુને પણ માનવા.”
ભાવાર્થ–વય અને દીક્ષા પર્યાયવડે હીન છતાં પણ જ્ઞાનવડે શ્રેષ્ઠ એવા ગુરુ તરીકે સ્થાપેલા બાળવયના આચાર્યની આજ્ઞામાં જ મુનિઓએ વર્તવું. કારણકે તે ગીતાર્થ હોવાથી ગચ્છમાં દીપક તુલ્ય છે. આને માટે લૌકિક દ્રષ્ટાંત આપે છે કે કોઈ વખત રાજા બાળક હોય તો પણ પ્રજા “આ બાળક છે' એમ કહી તેનું અપમાન કરતી નથી, પણ તેની આજ્ઞામાં વર્તે છે. તે પ્રમાણે ગચ્છને માટે પણ સમજવું
હવે ગુરુનું સ્વરૂપ કહે છે. ગુરુ કેવા હોય? पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवक्को । गंभीरो धीमंतो, उवएसपरो य आयरिओ॥१०॥ अपरिस्सावी सोमो, संगहसीलो अभिग्गहमई य । अविकत्थणो अचवलो, पसंतहियओ गुरू होइ ॥११॥
અર્થ–“તીર્થંકરાદિના પ્રતિબિંબ જેવા તેજસ્વી, યુગપ્રઘાનાગમ, મઘુર વક્તા, ગંભીર, ધૃતિમાન, ઉપદેશ દેવામાં તત્પર એવા આચાર્ય હોય.
૧. ગ્રહ મંગલ આદિ ૮૮ છે. ૨. તારાઓની સંખ્યા કોડાકોડી છે.