________________
ઉપદેશમાળા
છે અને જન્મ જરા ને મરણરૂપી સમુદ્રથી જે તારે છે એવા જિનપ્રવચનને વિષે છે ગુણના ભંડાર! એક ક્ષણ પણ પ્રમાદ કરવો ઉચિત નથી.” ”
આ પ્રમાણે જિનદાસ ગણિ કહે છે તેવે સમયે વિજયા નામે સાધ્વી જે રણસિંહ રાજાની માતા થાય છે તે ત્યાં આવ્યા અને તેણે પણ કહ્યું કે “હે વત્સ! તારે માટે તારા પિતા ઘર્મદાસગણિએ આ ઉપદેશમાળા બનાવી છે તેનો તું પ્રથમ અભ્યાસ કર, તેના અર્થનો વિચાર કર અને વિચાર કરીને અન્યાય ઘર્મ તજી દઈ મોક્ષસુખને ઉપાર્જન કર. તારા પિતાના એ આદેશનો સ્વીકાર કર.” આ પ્રમાણેનાં પોતાની માતાનાં વચનો સાંભળીને રણસિંહ રાજાએ તેનું અધ્યયન કરવાનું કબૂલ કર્યું. પછી પ્રથમ જિનદાસ ગણિ ઉપદેશમાલાની ગાથા બોલે અને ત્યાર પછી રણસિંહ રાજા તે પ્રમાણે બોલે. એ રીતે બે ત્રણ વાર સાંભળીને બોલી જઈને તેણે આખી ઉપદેશમાલા કંઠે કરી. પછી તેના અર્થને ચિત્તમાં વિચારતો સતો તે ભાવિતાત્મા વૈરાગ્ય પામીને ચિંતવવા લાગ્યો કે “મને ધિક્કાર છે! મેં અજ્ઞાનને વશ થઈને આ શું આચર્યું? ઘન્ય છે મારા પિતાને કે જેમણે મારા ઉદ્ધારને માટે અવધિજ્ઞાન વડે આગામી સ્વરૂપ જાણીને પ્રથમથી જ આ ગ્રંથ બનાવ્યો. માટે હવે આ વિદ્યુત્પાત સમાન ચંચળ એવા વિષયસુખવડે સર્યું. કહ્યું છે કે
चला लक्ष्मीश्चलाः प्राणाश्चलं चंचलयौवनं ।
चलाचलेऽस्मिन्संसारे, धर्म एको हि निश्चलः ॥ “લક્ષ્મી ચપળ છે, પ્રાણ ચપળ છે, ચંચળ એવું યૌવન પણ ચપળ છે; એવા આ ચળાચળ સંસારમાં ઘર્મ એક જ નિશ્ચળ છે.”
આ પ્રમાણે વિચારી ઘરે આવીને રણસિંહ. રાજા ન્યાય અને ઘર્મની પ્રતિપાલના કરવા લાગ્યો. પછી કેટલેક કાળે કમલવતીના પુત્રને રાજ્ય સ્થાપન કરીને શ્રી મુનિચંદ્રસૂરિ પાસે રણસિંહ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું અને વિશુદ્ધ ચારિત્રનું આરાઘન કરી કાળઘર્મ પામીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
કમલવતીના પુત્રે પણ આ ઉપદેશમાલા કંઠે કરી અને સર્વ લોકોએ પણ તેનું પઠન પાઠન કર્યું. એ પ્રમાણે અનુક્રમે પઠન પાઠનના ક્રમમાં ચાલતી આ ઉપદેશમાળા અદ્યાપિ વિજય પામે છે.
આ ઉપદેશમાળા પ્રકરણ પોતાના પુત્રને પ્રતિબોઘ પમાડવા માટે શ્રી ઘર્મદાસગણિએ રચેલું છે; તેનું રહસ્ય અન્ય બુદ્ધિમાન જનોએ સમ્યગ્ પ્રકારે ઘારણ કરવું. આ પ્રમાણે વૃદ્ધોક્ત સંપ્રદાય બતાવ્યો. હવે તે ઉપદેશમાળાની ગાથાઓનો અર્થ વગેરે કહેવામાં આવશે.
इत्युपदेशमालायां प्रथम रणसिंहनृपस्य मूलसंबंधः । | ઇતિ ઉપદેશમાળાની પ્રથમ પીઠિકા સમાપ્ત .