________________
બ્રહ્મચર્યનુમિ
૨૭૭ છે. એટલે કાંઈક હણાયેલી અને કાંઈક નહીં હણાયેલી હોય છે. એવી ઇન્દ્રિયોનો ( વાક્યની શોભા માટે છે) હે સાઘુઓ! તમે ઘાત કરો એટલે પ્રયત્ન વડે વશ કરો: તે ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં રાગદ્વેષ કરવારૂપ અહિત અર્થમાં હણવા યોગ્ય છે અને સિદ્ધાંતિક હિતકાર્યમાં પૂજવા યોગ્ય એટલે રક્ષણ કરવા યોગ્ય છે.” હવે મદાર કહે છે
जाइकुलरूवबलसुअ-तवलाभस्सरिय अट्ठमयमत्तो। . થાકું રિય વંથ, અસુહાડું હું ર સંસાર રૂરૂના
અર્થ–“જે મનુષ્ય જાતિ તે બ્રાહ્મણાદિક, કુળ તે પોતાનો વંશ, રૂપ તે શરીરનું સૌભાગ્ય, બળ તે શરીરનું સામર્થ્ય, શ્રુત તે શાસ્ત્રનું જ્ઞાન, તપ તે છઠ્ઠ અઠ્ઠમાદિ, લાભ તે દ્રવ્યાદિકની પ્રાપ્તિ અને શ્રી તે ઐશ્વર્ય પ્રભુતા–એ આઠ પ્રકારના મદ (અહંકાર) થી મત્ત થયેલો હોય, તેનો ગર્વ કરતો હોય, તે નિશ્ચ આ સંસારમાં ઘણી વાર એ જાતિ વગેરે અશુભ જ બાંધે છે; એટલે આ આઠમાંથી જે જે વસ્તુનો ગર્વ કરે છે તે વસ્તુ જ આવતા ભવમાં હીનતર પામે છે.”
जाईए उत्तमाए, कुले पहाणम्मि स्वमिस्सरियं । बलविजा य तवेण य, लाभमएणं व जो खिसे ॥३३१॥ संसारमणवयग्गं, नीयट्ठाणाई पावमाणो य । 'भमइ अणंतं कालं, तम्हा उ मए विवजिजा॥३३२॥ અર્થ–“જે માણસ પોતાની ઉત્તમ જાતિવડે (મારી જાતિ ઊંચી છે અને તારી જાતિ નીચી છે એવી રીતે), પ્રઘાનકુળમાં રહ્યો છતાં એટલે પ્રઘાન (ઉચ્ચ) કુળ વડે, રૂપ વડે, ઐશ્વર્ય વડે, બળ (સામથ્થો વડે, વિદ્યા (જ્ઞાન) વડે, તપ વડે અને લાભના મદ વડે બીજાની ખિસા એટલે નિંદા કરે છે, તે માણસ આ ચાર ગતિરૂપ અનંત સંસારમાં નીચ સ્થાનાદિ (હીન જાત્યાદિ) પામીને અનંત કાળ સુધી ભ્રમણ કરે છે. એટલે અનંત સંસારની વૃદ્ધિ કરે છે. માટે (ડાહ્યા પુરુષે) તે મદોને વર્જવા, તેનો ત્યાગ કરવો.”,
सुट्ट वि जई जयंतो, जाइमयाईसु मुजई जो उ ।
सो मेअञ्जरिसी जहा, हरिएसबलुव्व परिहाइ ॥३३३॥ અર્થ–“જે કોઈ યતિ સુક્કુ એટલે ગાઢ (અત્યંત) યતના કરતો સતો પણ જાતિમદ આદિમાં મોહ પામે છે, ગર્વ કરે છે, તે મેતાર્ય ઋષિની જેમ અને હરિકેશીબલ સાઘુની જેમ જાતિ આદિ વડે હીન થાય છે, હીન જાતિવાળો થાય છે. આ બન્ને મુનિની કથા પૂર્વે કહેલી છે.”
હવે નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુણિરૂપ છઠ્ઠું દ્વાર કહે છે