________________
૨૭૧
ચાર કષાયના પર્યાયો (ભેદો) છે) તથા પરપરિભવ (બીજાનો પરાભવ કરવો), પરનિંદા (બીજાની નિંદા કરવી), અસૂયા (બીજાના ગુણોમાં દોષો પ્રગટ કરવા, દોષનો આરોપ કરવો) અને–
હીલા (બીજાની હીન જાતિ વગેરે પ્રગટ કરીને તેની હીલના કરવી), નિરુપકારિત્વ (કોઈનો પણ ઉપકાર ન કરવો), નિરવનામતા (સ્તબ્ધ-અક્કડપણુંઅનમ્રતા), અવિનય (ગુરુને દેખી ઊભા ન થવું, આસન વગેરે ન આપવું), અને પરગુણપ્રચ્છાદના (બીજાના જ્ઞાનાદિક ગુણોનું આચ્છાદન કરવું, ઢાંકી દેવા)–આ સર્વે માનરૂપ અથવા માનના ફળરૂપ હોવાથી માનના પર્યાયો છે. તેમનું સેવન કરવાથી તેઓ પ્રાણીઓને ચતુર્ગતિ રૂપ સંસારમાં પાડે છે-નાંખે છે. માટે તેઓ શત્રુરૂપ હોવાથી તજવા યોગ્ય છે.” હવે માયાના પર્યાયો કહે છે
माया कुडंगि पच्छन्न-पावया कुडकवडवंचणया । सव्वत्थ असब्भावो, परनिक्खेवावहारो य॥३०६॥ छल छोम संवइयरो, गूढायारत्तणं मई कुडिला ।
वीसंभघायणं पि य, भवकोडिसएसु वि नडंति ॥३०७॥ અર્થ–“માયા (સામાન્ય માયા), કુડંગિ (મહાગહન, ગાઢ નિબિડ માયા), પ્રચ્છન્ન પાપ (છાની રીતે પાપકર્મ કરવું), ફૂડ (છ%), કપટ, વંચનતા (માયા વડે બીજાને છેતરવું), સર્વે પદાર્થોનો અસદ્ભાવ (અસમરૂપણા) એટલે હોય બીજું અને કહેવું બીજું, પરના નિક્ષેપ (ન્યાસ-થાપણ) નો અપહાર (ઓળવવું) તે પરન્યાસાપહાર અને છળ (માયાવડે પરને છળવું), છોમ (છા), સંવ્યતિકર (પીતાનું કાર્ય સાધવા માટે માયાવડે ગાંડું બનવું), ગૂઢાચારિત્વ (માયાવડે ગુપ્ત વિચરવું), કુટિલ (વક્ર મતિ), અને વિશ્વાસઘાત–એ સર્વે માયાના પર્યાયો છે. તે માયા સો કરોડ ભવોમાં પણ નડે છે, દુઃખદાયી થાય છે, અર્થાત્ માયાવડે બાંધેલા કમ ક્રોડો ભવે પણ ભોગવ્યા વિના ક્ષય પામતાં નથી, માટે તે તજવી.” - હવે લોભના ભેદો કહે છે–
लोभो अइसंचयसीलया य किलिट्टत्तणं अइममत्तं । कप्पन्नमपरिभोगो, नट्ठविणढे य आगल्लं ॥३०८॥ मुच्छा अइबहुधणलोभया, य तब्भावभावणा य सया।
बोलंति महाघोरे, जरमरणमहासमुहम्मि ॥३०९॥ અર્થ-લોભ (સામાન્ય લોભી, અતિસંચયશીલતા (લોભવડે એક જાતની અથવા ઘણી જાતની વસ્તુઓને અતિ સંચય કરવો), ક્લિષ્ટત્વ (લોભવડે મનની ક્લિષ્ટતા, કલષતા), અતિ મમત્વ (વસ્તુપર અત્યંત મમતા), કધ્યાન્નનો અપરિભોગ (ભોગવવા યોગ્ય અન્નાદિક વસ્તુનો અપરિભોગ એટલે તે ન ભોગવવું