________________
૨૬૯
ઉપદેશમાળા
देवा वि देवलोए, दिव्वाभरणाणुरंजियसरीरा । . નં પરિવતિ તત્તો, તુવરd વારુ તેલ ર૮વો
અર્થ–“દેવલોકમાં દિવ્ય અલંકારોથી અનુરંજિત (અલંકૃત) છે શરીર જેમનાં એવા દેવો પણ જે-તે દેવલોકથી પાછા પડે છે, ચવે છે, એટલે દેવલોકથી ચવીને અશુચિથી ભરેલા એવા ગર્ભાવાસમાં આવે છે, તે તેઓને અતિ દારુણા (દુસહ) દુઃખ છે, તેથી દેવલોકમાં પણ સુખ નથી.”
. तं सुरविमाणविभवं, चिंतिय चवणं च देवलोगाओ । .
अइबलियं चिय जं न वि, फुट्टइ सयसक्करं हिययं ॥२८॥ અર્થ–“તે પ્રસિદ્ધ એટલે અત્યંત અદ્ભુત દેવલોકના વિભવને ઐશ્વર્યને) અને તે દેવલોક થકી વનને મનમાં વિચારીને (ર્વિતિય ચિંતવીને એ પદનો ઘંટાલાલ એટલે ટોકરીની વચ્ચે રહેલી લાલાના ન્યાયે કરીને બન્ને ઠેકાણે સંબંધ કરવો) એટલે કે સુરવિમાનનો વૈભવ ક્યાં? અને હવે નીચ સ્થાનમાં મૃત્યુલોકમાં ગર્ભવાસમાં) ઊપજવું એ ક્યાં? એવો વિચાર કરીને તેઓનું હૃદય સેંકડો કકડા થઈને ફાટી જતું નથી એટલું અતિ બળવાન (કઠણ) છે; અર્થાત્ હૃદય શતખંડ થઈ જવું જોઈએ એટલું બધું તેઓને દુઃખ છે.” ફરીથી દેવગતિના પ્રકૃષ્ટ દુઃખનું જ વર્ણન કરે છે–
ईसाविसायमयको-हमाणमायलोभेहि एवमाइहिं ।
देवा वि समभिभूया, तेसिं कत्तो सुहं नाम ? ॥२८७॥ અર્થ–“દેવો પણ ઈર્ષ્યા (પરસ્પર મત્સર), બીજા દેવોએ કરેલા પરાભવથી ઉત્પન્ન થયેલો વિષાદ, મદ (અહંકાર), અપ્રીતિરૂપ ક્રોધ, માન (પરના ગુણનું અસહનપણું), માયા (કપટવૃત્તિ) અને લોભ (ગૃદ્ધિ-આસક્તિ) એ વગેરે ચિત્તના વિકારોથી અત્યંત પરાભવ પામેલા હોય છે, તો તેઓને પણ સુખ ક્યાંથી હોય? અરે! સુખનું નામ પણ ક્યાંથી હોય? ન જ હોય.”
धम्म पि नाम नाऊण, कीस पुरिसा सहति पुरिसाणं।
સામિત્તે સાહી, શે નામ વરિશ લાલરં? ૨૮૮ અર્થ–“નામ એ અવ્યય “પ્રસિદ્ધ અર્થમાં છે. એટલે કે દુઃખનું નિવારણ કરવાથી અને મોક્ષસુખને આપવાથી પ્રસિદ્ધિને પામેલા એવા ઘર્મને જાણીને પુરુષો શા માટે બીજા પુરુષોની આજ્ઞાને સહન કરતા હશે? (હકમ ઉઠાવતા હશે?) કેમકે સર્વ મનુષ્ય સમાન અવયવોને ઘારણ કરનારા છે. (આજ્ઞા કરનારમાં અને આજ્ઞા ઉઠાવનારમાં અવયવોનો કાંઈ ફેરફાર નથી). સ્વામીપણું પોતાને સ્વાધીન છતાં કયો માણસ દાસપણું (અંગીકાર) કરે? કોઈ ન કરે. એટલે બીજાની