SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ શ્રાવકના ગુણ હવે શ્રાવકના ગુણ વર્ણવે છે– वंदइ उभओ कालं पि, चेइयाई थयत्थुई परमो। નિવરહિમાયરઘુવ-પુખ વધુઝુરો પારરૂ૦ના અર્થ “જે ચૈત્યોને (જિનબિંબોને) બન્ને કાળ (સવારે અને સાંજે) વંદના કરે છે; “અપિ” શબ્દથી મધ્યાહે પણ એમ ત્રિકાલ જિનપ્રતિમાને વંદન કરે છે; સ્તવ એટલે ભક્તામર વગેરે સ્તવન અને થઈ એટલે સંસારદાવા વગેરે સ્તુતિ, તેમાં પ્રઘાન એટલે સ્તવન અને સ્તુતિ કરનારો તથા જિનપ્રાસાદમાં વીતરાગની પ્રતિમાની અગરુ પ્રમુખ ધૂપ, માલતી વગેરે પુષ્પો અને સુગંધી દ્રવ્યો વડે અર્ચન (પૂજા) કરવામાં ઉદ્યમાન હોય છે, તે શ્રાવક કહેવાય છે.” सुविणिछिय एगमइ, धम्मम्मि अणण्णदेवओ अ पुणो। न य कुसमएसु रज्जइ, पुव्वावरवाहअत्थेसु ॥२३१॥ અર્થ–“જિનઘર્મમાં સુવિનિશ્ચિત એટલે નિશ્ચળ (એકાગ્રી મતિવાળો અને જેને જિનેશ્વર સિવાય બીજો દેવ નથી તેવો શ્રાવક પૂર્વાપર વ્યાહત એટલે પૂર્વાપર વિરુદ્ધ અર્થવાળા અર્થાત છવચ્ચે કહેલા હોવાથી અસંબદ્ધ અર્થવાળા કુસમયકુશાસ્ત્રોમાં રક્ત થતો નથી, રાચતો નથી.” दट्टण कुलिंगीणं,, तसथावरभूयमदणं विविहं । ખાઈ ન રાઝિ, સેવેëિ ફંલ િ િારરૂરી અર્થ–“કુત્સિત લિંગઘારી બૌદ્ધાદિકના સ્વયંપાકાદિકમાં વિવિઘ પ્રકારે ત્રસ (દ્રિય વગેરે) અને સ્થાવર (પૃથિવ્યાદિક) પ્રાણીઓનું મર્દન (વિનાશ–હિંસા) થતું જોઈને સાચો શ્રાવક ઇંદ્ર સહિત દેવતાઓથી પણ જિનભાષિત ઘર્મ થકી ચલાયમાન થતો નથી.” 1. વંડુ પરિપુછડુ, પક્વાડ કુળ સયમેવ છે - पढइ सुणेइ गुणेइ अ, जणस्स धर्म परिकहेइ ॥२३३॥ અર્થ–“શ્રાવક નિરંતર મુક્તિમાર્ગના સાઘક એવા સાધુઓને વંદના કરે છે, તેમને પોતાનો સંદેહ પૂછે છે અને તેમની પર્યુપાસના (સેવા) કરે છે. વળી તે સુશ્રાવક ઘર્મશાસ્ત્ર ભણે છે, તે જિનભાષિત ઘર્મને અર્થથી શ્રવણ કરે છે, અને ભણેલાનો અર્થથી વિચાર કરે છે, તથા બીજા લોકોને તે ઘર્મનું કથન કરે છે અર્થાત પોતાની બુદ્ધિ પ્રમાણે બીજાઓને બોઘ પમાડે છે.” दढसीलव्वयनियमो, पोसहआवस्सएसु अक्खलिओ। मह अमंस पंचविह बहुबीयफलेसु पडिक्कंतो ॥२३४॥
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy