________________
(૧) રણસિંહકથા તેનું શું કારણ છે? તે કહે.' બટુક બોલ્યો કે “હે કુમાર! તમારી પ્રિયા કમલવતી વિધાતાની પાસે છે એમ હું જ્ઞાનથી જાણું છું, તેથી જો તમે કહો તો મારા આત્માને વિઘાતાની પાસે મોકલીને કમલવતીને અહીં લઈ આવું.” ત્યારે કુમારે કહ્યું કે “જો એ સર્વ સત્ય હોય તો તેમાં જરા પણ વિલંબ કર નહીં. જ્યારે હું કમલવતીને જોઈશ ત્યારે મારો આ જન્મ કૃતાર્થ માનીશ.' ત્યારે બટુક બોલ્યો કે “હે સુંદર! દક્ષિણા વિના મંત્રવિદ્યા આદિ કેવી રીતે સિદ્ધ થઈ શકે?” ત્યારે કુમારે કહ્યું કે હે મિત્ર!પ્રથમ મેં તને મારું મન અર્પણ કરેલ છે, હવે મારા પ્રાણ પણ તારે આધીન છે; તો કહે હવે તેથી વધારે બીજી શી દક્ષિણા આપું?” બટુકે કહ્યું કે દીર્ધાયુ થાઓ, પણ હું જ્યારે જે કાંઈ તમારી પાસે માગું તે તમારે આપવું પડશે.” કુમારે કહ્યું કે હું તને વર આપું છું તે હું પાળીશ. બહુ કહેવાથી શું? પરંતુ તે હવે મારી પ્રિય વલ્લભાને સત્વર લાવ.” .
એ પ્રમાણે કહેવાથી બટુકે સંજીવની નામની જડી સર્વને બતાવી. પછી તે પડદામાં ધ્યાન કરતો બેઠો. કુમાર પણ અતિ હર્ષિત થવા લાગ્યો. રાજા વગેરે પણ કમલવતીને જોવાને ઉત્સાહિત થયા. વળી “મૃત્યુ પામેલી કમલવતી પાછી આવશે તે મોટું આશ્ચર્ય થશે; આ વિપ્ર તો મોટો જ્ઞાની જણાય છે. એ પ્રમાણે લોકો પણ પરસ્પર આહાદયુક્ત વાતો કરવા લાગ્યા. તે સમયે બટુકે પેલી જડી કર્ણથી દૂર કરી એટલે કમલવતી થઈ ગઈ. પછી તે પડદામાંથી બહાર આવી. કુમારે તેને અતિ હર્ષથી જોઈ. અને ખરેખર આ જ મારી પ્રિયા કમલવતી છે એમ કહ્યું. તેણે આવીને પોતાના પ્રિયને પ્રણામ કર્યા. બઘાએ તેને જોઈ. તેનું રૂપ, લાવાય અને સૌભાગ્ય આદિ જોઈને લોકો પણ વિસ્મયપૂર્વક કહેવા લાગ્યા કે જેવી રીતે સવર્ણ આગળ પિત્તળ શોભતું નથી, તેવી રીતે આ કમલવતી પાસે રવતી પણ શોભતી નથી. કુમાર એની ખાતર સાહસ કરતા હતા તે પણ યુક્ત જ હતું. એ કુમારને તેમજ એ કમલવતીને બન્નેને ઘન્ય છે. એ પ્રમાણે પ્રશંસા કરતા લોકો પોતપોતાને સ્થાનકે ગયા. કુમાર પણ હર્ષથી પરિવાર સહિત મહોત્સવ પૂર્વક કમલવતીને લઈને પોતાના આવાસે આવ્યા અને અલંકાર તથા વસ્ત્રાથી વિભૂષિત એવી કમલવતીની સાથે પંચવિષયસુખ ભોગવતા સતા પોતાના જન્મને સાર્થક માનવા લાગ્યા.
એકદા કુમારે કમલવતીને પૂછ્યું કે હે સુલોચના! કોઈ એક વિપ્ર તારી ખાતર વિઘાતાની પાસે આવ્યો હતો તેને તે જોયો હતો કે નહીં?” એ પ્રમાણે સાંભળી કમલવતી વિસ્મય સહિત બોલી કે હે પ્રાણેશ! તે વિપ્ર હું જ હતો.” એમ કહીને તેણે જડીબુટીનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, તે સાંભળી કુમાર અતિ સંતુષ્ટ થયો. કમલવતીએ વિચાર્યું કે “આ વલ્લભ રત્નવતીની સામી જરા નજર પણ કરતા નથી, તેની તરફ તે અત્યંત નિઃસ્નેહી થયેલા છે; પણ તેમાં મારો જ.