________________
જીવે ભોગવેલા પુદ્ગલો વિષે
૨૨૯
આરાધના નહીં કરવાથી, તું એકેન્દ્રિય આદિ જાતિની શીતોષ્ણ આદિ સેંકડો યોનિઓમાં બહુ ભટકીશ.'’ આ પ્રમાણે તે યક્ષે શોક કર્યો.
पावो पमायवसओ, जीवो संसारकञ्जमुत्तो । दुक्खेहिं न निव्विन्नो, सुक्खेहिं न चेव परितुट्ठो ॥१९५ ॥ અર્થ—“પાપી અને પ્રમાદને વશ થયેલો તથા સંસારના કાર્યમાં ઉદ્યમવાન એવો આ જીવ દુઃખો વડે એટલે અનેક પ્રકારનાં દુઃખો ભોગવતાં છતાં પણ નિર્વેદ (ખેદ) પામ્યો નહીં (જેમ જેમ દુઃખ પામે છે તેમ તેમ પાપકર્મ વધારે કરે છે) અને સુખો વડે એટલે સુખો ભોગવતાં પણ પરિતુષ્ટ (સંતુષ્ટ) થયો નહીં (કેમ કે જેમ જેમ સુખ મળે છે તેમ તેમ નવાં સુખની વાંછા કરે છે.)”
परितप्पिएण तणुओ, साहारो जइ घणं न उज्जमइ । सेणियराया तं तह, परितप्पंतो गओ नरयं ॥१९६॥ અર્થ—“જો તપ-સંયમાદિકમાં ઘણો ઉદ્યમ ન કરે, તો માત્ર પરિતાપ વડે એટલે પાપકર્મની નિંદા, ગર્હ અને પશ્ચાત્તાપાદિક વડે થોડો જ આઘાર થાય છે, અર્થાત્ તેથી લઘુકર્મોનો ક્ષય થઈ શકે છે, પણ નિકાચિત કર્મોનો ક્ષય થતો નથી. તેથી જ શ્રેણિક રાજા તેવા પ્રકારનો (હા ઇતિ ખેદે! મેં વિરતિ ન કરી એવો) પરિતાપ કર્યા છતાં પણ નરકે ગયો.”
અથવા આ શ્લોકના પૂર્વાર્ધનો અર્થ આમ કરવો કે જો તપ-સંયમાદિકમાં ઘણો ઉદ્યમ ન કરે તો માત્ર પરિતાપ વડે કર્મ લઘુ થતાં નથી, એટલે કે ગર્દાદિક કરવાથી શિથિલ કર્મનો જ નાશ થાય છે, પણ દૃઢ બાંઘેલાં કર્મનો નાશ થતો નથી.
जीवेण जाणि उ विसज्जियाणि, जाईसएसु देहाणि । थोवेहिं तओ सयलं पि, तिहुयणं हुआ पडिहत्थं ॥ १९७॥ અર્થ—“જીવે (પ્રાણ ધારણ કરનારે) એકેન્દ્રિયાદિ સેંકડો જાતિઓમાં પૂર્વે ગ્રહણ કરી કરીને જેટલાં શરીરો ત્યાગ કર્યાં છે તેમાંથી થોડા પણ શરીરો વડે (સર્વ શરીરો વડે નહીં) સકલ ત્રિભુવન પણ સંપૂર્ણ થાય અર્થાત ત્રણ ભુવન ભરાઈ જાય તેટલાં શરીરો જીવે પૂર્વે ગ્રહણ કરીને મૂક્યાં છે, તો પણ જીવ સંતોષ પામતો નથી.’’
नहदंतमंसकेस -ऽट्ठिएस जीवेण विप्पमुक्केसु । तेसु वि हविज कइलासमेरुगिरिसन्निभा कूडा ॥१९८॥ અર્થ—“જીવે પૂર્વભવોમાં ગ્રહણ કરી કરીને મૂકેલા જે નખ, દાંત, માંસ, કેશ અને અસ્થિઓ—તે સર્વ નખાદિકને એકત્ર કરીએ તો કૈલાસ (હિમવાન), મેરુ અને