________________
૨૨૦
ઉપદેશમાળા
जिणपहअपंडियाणं, पाणहराणं पि पहरमाणाणं । न करंति य पावाई, पावस्स फलं वियाणंता ॥१७६॥
અર્થ–“વળી જે પાપનું ફળ (નરકાદિક છે એમ) જાણે છે એવા મુનિઓ, જૈનમાર્ગને નહીં જાણનારા (અઘમ) લોકો કે જેઓ ખગ્રાદિક વડે પ્રહાર કરીને પ્રાણોનો નાશ કરે છે, તેઓ પ્રત્યે પણ પાપકર્મ આચરતા નથી.” અર્થાત્ તેઓનું મરણ ચિંતવન કરવારૂપ પાપકર્મ આચરતા નથી, તેઓનો દ્રોહ કરતા નથી.
वहमारणअब्भक्खाण-दाणपरधणविलोवणाईणं । ....
सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसि कयाणं ॥१७७॥ અર્થ–“એક વાર કરેલા એવા વઘ (લાકડી વગેરેથી મારવું), કારણ (પ્રાણનો નાશ કરવો), અભ્યાખ્યાન દાન (અછતા દોષનો આરોપ કરવો) અને પરઘનનો વિલોપ કરવો એટલે ચોરી કરવી, “આદિ' શબ્દથી કોઈના મર્મ બોલવા, ગુપ્ત વાત પ્રગટ કરવી વગેરે, આ સર્વે પાપકર્મોનો જઘન્યપણે ઉદય (ઓછામાં ઓછો ઉદય થાય તો) દશગણો થાય છે. એટલે કે એક વાર મારેલો. જીવ પોતાના મારનારને દશ વાર મારનાર થાય છે. આ સામાન્ય ફળ જાણવું.”
तिव्वयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो।
कोडाकोडिगुणो वा, हुज विवागों बहुतरो वा ॥१७८॥ અર્થ–“તીતર દ્વેષ એટલે અતિ ક્રોઘ વડે વઘાદિક કરવાથી સો ગણો વિપાક ઉદય આવે છે તેથી પણ અધિક તીવ્રતર દ્વેષ હોય તો સો હજાર એટલે લાખ ગણો વિપાક ઉદય આવે છે અથવા કરોડ ગણો ઉદય આવે છે અને તેથી તીવ્રતમ અતિશય ક્રોઘ વડે વઘાદિક કરનારને કોટાકોટિ ગણો વિપાક ઉદય આવે છે. અથવા તેથી પણ અધિક વિપાક ઉદય આવે છે. એટલે કે જેવા કષાયવડે કર્મ બાંધ્યું હોય તેવો વિપાક ઉદય આવે છે.”
के इत्थ करंतालंबणं, इमं तिहुयणस्स अच्छेरं।
जह नियमा खवियंगी, मरुदेवी भगवई सिद्धा ॥१७९॥ અર્થ–“કેટલાક પુરુષો આ વઘાદિક વિપાકરૂપ) અર્થમાં ત્રણ જગતને આશ્ચર્યકારક એવું આ આલંબન ગ્રહણ કરે છે કે જેમ તપ સંયમાદિક નિયમો વડે જેનું અંગ ક્ષેપિત થયું નથી, એટલે પૂર્વે જેણે ઘર્મ પ્રાપ્ત કર્યો નથી એવી ભગવતી (પૂજ્ય) મરુદેવી માતા મોક્ષ પામ્યા છે, તેવી રીતે અમે પણ વઘાદિકના વિપાકને અનુભવ્યા વિના તથા તપ સંયમાદિક ઘર્માનુષ્ઠાન કર્યા વિના જ મોક્ષ પામીશું, એવું અવલંબન ગ્રહણ કરે છે, પરંતુ તે ગ્રહણ કરવા લાયક નથી.”