________________
૨૦૬
ઉપદેશમાળા
અર્થ–“એકલા મુનિને સૂત્રાર્થની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય?પ્રતિપૃચ્છા એટલે સંદિગ્ધનું પૂછવું તે કોની પાસે કરે? ચોયણા એટલે પ્રમાદમાં પડેલાને શિખામણ કોણ આપે? એકલો વિનય કોનો કરે? વૈયાવચ્ચ કોની કરે? અને મરણ સમયે નમસ્કાર સ્મરણ, અણસણાદિ આરાઘના પણ તેને કોણ કરાવે? અર્થાતુ એટલા વાનાં (લાભ) એને ક્યાંથી પ્રાપ્ત થાય? ન થાય.”
पिल्लिज्जेसणमिक्को, पइन्नपमयाजणाउ निच्चभयं ।
રામણો વિ ઝવે, ન તરફ વાળ ૧૬ મી ૧૧લા અર્થ–“એકલો મુનિ એષણા જે આહારની શુદ્ધિ તેનું પણ ઉલ્લંઘન કરે છે, અર્થાત્ કદાચિત્ અશુદ્ધ આહાર પણ ગ્રહણ કરે છે. વળી પ્રકીર્ણ એટલે એકાકી, એવા મુનિને પ્રમદાજનથી એટલે સ્ત્રીઓથી નિરંતર ભય રહ્યા કરે છે; અને બહુ મુનિના મધ્યમાં તો અકાર્ય કરવાનું મન પણ કરવાને શક્તિવાન થવાતું નથી તો અકાર્ય કરે તો શેનો જ? માટે સ્થવિરકલ્પી મુનિઓને એકાકી વિહાર યુક્ત નથી.”
उच्चारपासवणवं-तपित्तमुच्छाइ मोहिओ इक्को ।
सहव भायण विहत्थो, निक्खिवइ व कुणइ उड्डाहं ॥१५९॥ અર્થ– “ઉચ્ચાર તે પુરીષ (વડીનીતિ), પાસવણ તે પ્રસ્ત્રવણ (લઘુનીતિ), વાંત તે વમન, પિત્ત અને મૂછ, આદિ શબ્દથી વાયુવિકાર, વિચિકાદિનું ગ્રહણ કરવું. એવા વ્યાધિથી (કષ્ટથી) વ્યાકુળ થયેલો એકલો સાધુ પાણી સહિત જે ભાજન તેનાથી વ્યગ્રહસ્તવાળો હોતો સતો જો તે ભાજન હાથમાંથી મૂકી દે તો સંયમવિરાઘના (આત્મવિરાઘના) થાય, અને જો તે ભાજન હાથમાં રહેવા દઈને ઉચ્ચાર (વડીનીતિ) વગેરે કરે તો શાસનની ઉડ્ડાહ (લઘુતા) થાય. તેથી મુનિને એકલા રહેવું કોઈ રીતે યોગ્ય નથી.” .
एगदिवसेण बहुआ, सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ, चइज्ज आलंबणं लद्धं ॥१६०॥ અર્થ–“એક દિવસમાં પણ જીવના પરિણામ શુભ અને અશુભ એવા બહુ પ્રકારના થાય છે, તેથી એકલો મુનિ અશુભ પરિણામવાળો થયો તો કાંઈક આલંબન-કારણને પામીને ચારિત્રને તજી દે છે અથવા ઘણા દોષ લગાડે છે.”
सव्वजिणपडिकुटुं, अणवत्था थेरकप्पभेओ य । . इक्को अ सुयाउत्तो वि हणइ तवसंजमं अइरा ॥१६१॥
અર્થ–“એકાકીપણે વિચરવું સર્વ જિનેશ્વરોએ નિષિદ્ધ કરેલું છે, કારણ કે તેથી અનવસ્થા અર્થાત્ મર્યાદાનો ભંગ થાય છે અને સ્થવિરોનો કલ્પ (આચાર)