________________
(૫૦) સત્યકી વિદ્યાઘરની કથા
૨૦૭ તેનો ભેદ (ભંગ) થાય છે. વળી શુભ આયુક્ત એટલે આચારમાં ગાઢપણે સાવઘાન હોય તોપણ એકલવિહારી થતાં થોડા કાળમાં તપ અને સંયમને હણી નાંખે છે, અર્થાત્ તેમાં દોષ લગાડે છે.”
वेसं जुन्नकुमारि, पउत्थवइअं च बालविहवं च । पासंडरोहमसई, नवतरुणिं थेरभज्जं च ॥१६२॥ सविडंकुब्भडरूवा, दिट्ठा मोहेइ जा मणं इत्थी।
आयहियं चिंतंता, दुरयरेणं परिहरंति ॥१६३॥ અર્થ–“વેશ્યા, વૃદ્ધ કુમારિકા એટલે મોટી ઉંમરવાળી કુમારિકા, પરદેશ ગયેલા પતિવાળી સ્ત્રી, બાળ વિઘવા એટલે જેનો પતિ બાલ્યાવસ્થામાં જ મરણ પામેલો છે એવી અતિ કામવિહળ સ્ત્રી, પાખંડવ્રત કરીને જેણે વિષયનો રોઘ કરેલો છે એવી સ્ત્રી તાપસી વગેરે, અસતી એટલે વ્યભિચારિણી સ્ત્રી, નવયૌવના, વૃદ્ધ ભર્તારની ભાર્યા, શુભ અધ્યવસાયને દૂર કરી દે એવા ઉશ્કટ રૂપવાળી અથવા વિકાર સહિત મનોહર રૂપવાળી અને દેખવા માત્રથી જ જે મનને મોહિત કરે એવી સ્ત્રી–આટલા પ્રકારની સ્ત્રીઓને આત્મહિત ચિંતવનાર પુરુષ અતિ દૂરથી જ ત્યજી દે છે.” * ... सम्महिठी वि कया-गमो वि अइविसयरागसुहवसओ। • भवसंकडंमि पविसइ, इत्थं तुह सच्चई नायं ॥१६४॥
અર્થ–સમ્યગુષ્ટિ છતાં અને સિદ્ધાંતનો જાણ છતાં અતિશય વિષયરાગ સંબંધી જે સુખ તેના પરવશપણાથી જીવ ભવસંકટમાં પ્રવેશ કરે છે, અર્થાતુ બહુ ભવભ્રમણ કરે છે. તે સંબંઘમાં હે શિષ્ય! તારે સત્યકીનું ઉદાહરણ જાણવું.”
સત્યકી વિદ્યાઘરની કથા આ વિશાળ લક્ષ્મીવાળી વિશાળા નગરીમાં ચેટક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુચેષ્ઠા અને ચેલણા નામે બે પુત્રીઓ હતી. તે બન્નેને અરસપરસ ઘણો જ નેહ હતો. અભયકુમારની સલાહથી તે બન્ને કન્યાઓએ શ્રેણિક રાજાની સાથે પાણિગ્રહણ કરવાનો અભિગ્રહ કર્યો હતો. પછી અભયકુમારે એક સુરંગ ખોદાવી, અને તે સુરંગ દ્વારા શ્રેણિક રાજાએ વિશાળા નગરીએ આવી બન્ને કન્યાઓનું અપહરણ કર્યું. સુરંગના મુખ આગળ આવતાં ચેલણાએ વિચાર કર્યો કે “સુજ્યેષ્ઠા સર્ષમાં મારાથી અતિ શ્રેષ્ઠ છે, તેથી શ્રેણિક રાજા તેને બહુમાન દઈ પટ્ટરાણી કશે.' એ પ્રમાણે વિચારી ચેલણાએ સુચેષ્ઠાને કહ્યું કે “હે ભગિની! તું પાછી જઈને મારો રહી ગયેલો ઘરેણાંનો ડાબલો જલદી લઈ આવ.” એ પ્રમાણે કહી