________________
(૪૭) પરશુરામ અને સુભૂમની કથા
૧૯૯ તાપસ જોયો. તેની પરીક્ષા કરવા તે દેવો ચકલા ચકલીનું રૂપ ધારણ કરી તેની દાઢીમાં માળો બાંધીને રહ્યા. પછી ચકલો મનુષ્યવાણીથી બોલ્યો કે “હે બાલા! તું અત્ર સુખેથી રહે, હું હિમાલય પર્વતે જઈને આવું છું.” ત્યારે ચકલીએ કહ્યું કે હે પ્રાણનાથ! હું તમને જવા દઈશ નહીં, કારણ કે તમે પુરુષો જ્યાં જાઓ છો ત્યાં લુબ્ધ થઈ જાઓ છે. જો તમે પાછા ન આવો તો મારી શી ગતિ થાય? હું અબળા એકલી અહીં કેમ રહી શકું? તમારો વિયોગ મારાથી કેવી રીતે સહન થઈ શકે? તે સાંભળી ચકલાએ કહ્યું કે હે બાળા! તું શા માટે કદાગ્રહ કરે છે? હું જલદી આવીશ. જો હું નહીં આવું તો મને બ્રાહ્મણની, સ્ત્રીની, બાળકની ને ગાયની હત્યાનું પાપ લાગે.” ત્યારે ચકલીએ કહ્યું કે હું એવી સોગનો માનતી નથી. પણ જો તમે ન આવો તો યમદગ્નિ તાપસનું પાપ મસ્તક ઉપર ઘારણ કરો તો હું તમને જવા દઉં.” ત્યારે ચાઁ બોલ્યો કે “તું એમ બોલ નહીં. એનું પાપ કોણ અંગીકાર કરે?
એ વચનો સાંભળીને યમદગ્નિ ધ્યાનથી ચલિત થયો અને ક્રોઘવશ થઈ ચકલા-ચકલીને પકડી કહેવા લાગ્યો કે મારું શું એટલું બધું પાપ છે?” ચકલીએ કહ્યું કે “હે મુનિ! ક્રોઘ કરો નહીં. આપનાં ઘર્મશાસ્ત્ર જુઓ. તેમાં કહ્યું છે કે... अपुत्रस्य गति स्ति, स्वर्गं नैव च नैव च ।।
तस्मात्, पुत्रमुखं दृष्ट्वा, स्वर्गे गच्छंति मानवाः ॥ પુત્ર વિનાના માણસની સદ્ગતિ થતી નથી, અને સ્વર્ગમાં તો તેની ગતિ છે • જ નહીં. તેથી માણસો પુત્રનું મુખ જોઈને સ્વર્ગમાં જાય છે. - તમે પુત્રરહિત છો, તમારી શુભ ગતિ કેવી રીતે થાય? તેથી તમારું પાતક મોટું છે.” એ પ્રમાણે કહી, તેનું મન ચલિત થયેલું જાણી, દેવો પોતાને સ્થાને ગયા, અને મિથ્યાવૃષ્ટિ દેવ હતો તે પણ પરમ જૈન થયો. • તેમના ગયા પછી યમદગ્નિ પણ પક્ષીના વચનો ઉપર વિચાર કરવા લાગ્યો કે “એમણે કહી તે બાબત ખરી છે, તેથી કોઈ સ્ત્રીની સાથે લગ્ન કરી પુત્ર ઉત્પન્ન કરે તો મારી શુભ ગતિ થાય.” એ પ્રમાણે વિચાર કરી કોષ્ટક નગરના રાજા જિતશત્રુ પાસે જઈ એક કન્યા માગી. ત્યારે રાજાએ કહ્યું કે “મારે સો પુત્રીઓ છે, તેમાંથી જે તમને પસંદ કરે તે કન્યા તમે ગ્રહણ કરો.' - તે સાંભળીને યમદગ્નિ અંતઃપુરમાં આવ્યો. ત્યાં રહેલી સર્વે કન્યાઓએ જટાઘારી, દુર્બળ, મળથી મલિન ગાત્રવાળા અને વિપરીત રૂપવાળા યમદગ્નિને જોઈને થુથુકાર કર્યો (ધૂછ્યું), તેથી તેણે ક્રોઘવશ થઈને તે સર્વ કન્યાઓને કુળ્યા કરી નાંખી. પાછા વળતાં તેણે મહેલના આંગણામાં ઘૂળમાં રમતી એક રાજપુત્રીને જોઈ, અને તેને બિજોરું બતાવ્યું, એટલે તે લેવા તેણે હાથ લાંબો કર્યો, તેથી તાપસે રાજા પાસે જઈને કહ્યું કે આ કન્યા મને ઇચ્છે છે.” એમ કહીને તેને ગ્રહણ કરી.