________________
(૪૬) ચાણક્યનું વૃત્તાંત
૧૯૩
માહાત્મ્ય શું હશે ?” સાધુએ કહ્યું કે ‘તે રાજા થશે’. ત્યારે માતાપિતાએ વિચાર કર્યો કે ‘આ છોકરો લાંબા વખત સુધી રાજ્યમાં આસક્તિવાળો થવાથી જરૂર નરકે જશે.' એવું જાણી તેઓએ પુત્રના દાંત ઘસી નાખ્યા. પછી ફરી મુનિને પૂછતાં મુનિરાજે કહ્યું કે ‘દાંત ઘસવાથી તે કોઈ રાજાનો મંત્રી થશે અને કોઈને અગ્રેસર કરીને પોતે રાજ્યપાલન કરશે.’
અનુક્રમે ચાણક્ય મોટો થયે સર્વ વિદ્યામાં કુશળ થયો. યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં ઉત્તમ દ્વિજપુત્રીની સાથે પાણિગ્રહણ કરી સાંસારિક સુખ ભોગવવા લાગ્યો. એક દિવસ ચાણક્યની પત્ની પોતાના ભાઈના લગ્નપ્રસંગે પિતાને ઘેર ગઈ, પરંતુ સામાન્ય વેષવાળી અને ધનરહિત હોવાથી પિતાને ઘરે પણ તેને યોગ્ય સન્માન મળ્યું નહીં. તેની બીજી બહેનો પણ ત્યાં આવેલી હતી. તેઓએ ઘણાં ઘરેણાં અને સુંદર કપડાં ધારણ કરેલાં હોવાથી ભાઈએ તેમને બહુ સન્માન આપ્યું. અહો! આ જગતનું મૂળ કારણ ધન જ છે. કહ્યું છે કે—
तिर्या रसात गुणगणस्तस्याप्यधो गच्छतां । शीलं शैलतटात्पतत्वभिजनः संदह्यतां वह्निना ॥ शौर्ये वैरिणि वज्रमाशु निपतत्वर्थोऽस्तु नः केवलं । येनेकैन 'विना गुणास्तृणलवप्रायाः समस्ता इमे ॥ “જાતિ રસાતલમાં જાઓ અને ગુણસમૂહ તેથી પણ નીચે જાઓ, શીલ પર્વતના શિખર ઉપરથી નીચે પડો, સગાંવહાલાં અગ્નિથી બળી જાઓ, શૂરવીરપણા ઉપર જલદી વજ પડો, પરંતુ અમને માત્ર ઘન મળો; કેમકે એક ઘન વિના આ સમગ્ર ગુણો તૃણવત્ એટલે ઘાસ જેવા છે.”
બીજી બહેનોને તેનો ભાઈ સઘળાં કાર્યો વગેરેમાં પણ પૂછે છે, પરંતુ ચાણક્યની પત્ની જે પોતાની બહેન તેની તો સામું પણ જોતો નથી; તેથી તે ખેદ કરતી સતી ઘરને ખૂણે બેસીને વિચારે છે કે ‘મારા ધનરહિત જીવનને ધિક્કાર છે! કારણ કે સગા ભાંઈએ પણ તે કારણથી પંક્તિભેદ કર્યો છે.' પછી વિવાહનું કાર્ય સમાસ થયે ખિન્ન મને તે પોતાને ઘેર આવી. ચાણક્યે પૂછ્યું કે ‘તું ઉદ્વિગ્ન મનવાળી કેમ જણાય છે ?” એટલે તેણે સઘળું ભ્રાતૃસ્વરૂપ નિવેદન કર્યું. તે સાંભળી ચાણક્યે મનમાં વિચાર કર્યો કે નિર્ધન એવી મારી સ્ત્રીને તેના સગા ભાઈએ પણ દર આપ્યો નહીં; તેથી હું થન મેળવીને મારી સ્ત્રીનો મનોરથ પૂર્ણ કરીશ.’ એમ ચિંતવી તે પરદેશ ચાલ્યો.
ફરતાં ફરતાં પાટલીપુત્ર નગરમાં નંદ રાજા પાસે યાચવા માટે ગયો. ત્યાં રાજસભામાં રાજાનું મુખ્ય આસન હતું તેના ઉપર જઈને બેઠો. દાસીએ કહ્યું કે ‘હે બ્રાહ્મણ ! આ રાજાનું ભદ્રાસન છોડીને બીજા આસન ઉપર બેસો.' ત્યારે ચાણક્ય
૧૩