SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર ઉપદેશમાળા મોહથી તે પુત્રના મૂત્રથી મિશ્ર અન્ન ખાવા લાગ્યો. પુત્રના મોહને લીધે તેને જરા પણ જાગુપ્સા ઉત્પન્ન થઈ નહીં. પછી તેણે પોતાની માતા પાસે જઈને તે વાત કરીને પૂછ્યું કે “હે માતા! મને આ પત્ર કેવો પ્રિય છે?” તે સાંભળી માતાએ કહ્યું કે હે. ક્રૂરતે! આ તારો તે શો સ્નેહ છે? તારા પિતાનો સ્નેહ પ્રથમ તારા ઉપર આ કરતાં પણ અત્યંત વિશેષ હતો. આ પ્રમાણે પોતાનું પૂર્વ વૃત્તાંત પોતાની માતાના મુખથી સાંભળીને, પોતાના પિતાને કારાગૃહમાં નાંખવા રૂપ પોતાના નિધ કર્મને . નિંદતો સતો તે કુહાડો લઈને જલદી પાંજરાને ભાંગવા માટે ચાલ્યો. પોતાના પુત્રને એવી રીતે આવતો જોઈ ભયભ્રાન્ત બનેલા શ્રેણિક રાજા તાલપુટ વિષના પ્રયોગથી પોતાના આયુષ્યને પૂર્ણ કરી, સમક્તિના લાભથી અગાઉ બાંધેલી, પહેલી નરક પૃથ્વીને પ્રાપ્ત થયા અર્થાત્ પહેલી નરકે ગયા. કોણિક રાજા પોતાના પિતાને મૃત્યુ પામેલા જોઈ અત્યંત રુદન કરવા લાગ્યો. તેણે પ્રેતવિધિ (અંતિમ ક્રિયા) કરી. ત્યાર પછી તેના મુખ્ય સામંતોએ અનેક પ્રકારના પ્રયોગોથી કોણિક રાજાને શોકથી નિવૃત્ત કર્યો. પછી પોતાની પ્રિયાથી પ્રેરિત થયેલા કોણિક રાજાએ પેલી ત્રણે દિવ્ય વસ્તની હલ્લ વિહલની પાસે માગણી કરી. એટલે હલ્લ ને વિહલ્લ તે વસ્તુઓ તથા અન્ય સારભૂત પદાર્થો લઈને પોતાની માતાના પિતા ચેડા રાજા પાસે ગયા. બલથી ઉદ્ધત થયેલો અને અતિ અભિમાની કોણિક રાજા ઘણાં યુદ્ધો કરી અનેક આરંભોમાં રક્ત થઈ આયુષ્ય પૂર્ણ કરીને છઠ્ઠી નરકે ગયો. એ પ્રમાણે પુત્રનો સ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ કથાનો ઉપદેશ છે. लुद्धा सकञ्जतुरिया सुहिणो वि विसंवयंति कयका । जह चंदगुत्तगुरुणा पव्वयओ घाइओ राया ॥१५०॥ અર્થ-લુબ્ધ, પોતાનું કાર્ય કરવામાં ત્વરિત અને કરી લીધું છે પોતાનું કાર્ય જેણે એવા સ્વજનો-મિત્રો પણ વિપરીત બોલે છે, વિપરીત કરે છે. જેમ ચંદ્રગુપ્ત રાજાના ગુરુ ચાણક્ય નામના મંત્રીએ પોતાનું કાર્ય થઈ ગયા પછી રાજ્યલુબ્ધપણાથી પોતાના મિત્ર એવા) પર્વત નામના રાજાનો ઘાત કર્યો.” ચાણક્યનું વૃત્તાંત ચણક નામના ગામમાં ચણી નામે બ્રાહ્મણ વસતો હતો. તેને ચણેશ્વરી નામે સ્ત્રી હતી. બન્ને જૈન હતા અને જિનભક્તિમાં પ્રીતિવાળા હતા. એક દિવસ તેમને દાંત સાથે પુત્ર જન્મ્યો. તેનું નામ ચાણક્ય પાડ્યું. એકદા તેમને ઘેર સાઘુઓ આવ્યા. એટલે તે બાળકને સાધુ મહારાજના ચરણમાં મૂકીને ચણી ભટે પૂછ્યું કે હે ભગવન્! મારે ઘરે આ પુત્ર દાંત સહિત જન્મ્યો છે તેનું શું કારણ? તેનું
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy