________________
(૪૫) કોણિક રાજાનું દ્રષ્ટાંત
૧૯૧ કોણિક રાજાએ ક્ષય પમાડ્યો-વિનાશ પમાડ્યો તેમ.” અર્થાત્ પુત્રનો સ્નેહ પણ એવો વ્યર્થ સમજવો.
કોણિક રાજાનું દ્રષ્ટાંત શોભાયમાન ઘરોથી ભરપૂર અને નગરમાં પ્રસિદ્ધ એવા શ્રેષ્ઠીજનોની શ્રેણીથી પૂર્ણ એવું રાજગૃહનામે એક શહેર હતું. ત્યાં જિનભક્તિમાં રક્તચિત્તવાળો શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે શ્રેણિક રાજાને ઉત્તમશીલ અને લાવાયથી ભરપૂર, સુંદર રૂપવાળી, અત્યંત પ્રીતિવાળી અને નિર્મળ ગૌર વર્ણવાળી ચેલણા નામે પટ્ટરાણી હતી. શ્રેણિક રાજા સાથે પૂર્વભવમાં જેણે વૈર બાંધ્યું છે અને જેણે પુષ્કળ તપ કર્યું છે એવો કોઈ જીવ, છીપની અંદર જેમ મોતી ઉત્પન્ન થાય તેમ ચેલણાના ગર્ભમાં ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી ચેલણાને ત્રીજે મહિને પોતાના પ્રાણનાથના હૃદયનું માંસ ખાવારૂપ અશુભ દોહદ ઉત્પન્ન થયો. તેથી તે ઘણી દુર્બળ થવા લાગી. રાજાએ રાણીને દુર્બળતા સંબંધી આગ્રહપૂર્વક પૂછ્યું ત્યારે તેણે પોતાનો દુષ્ટ વિચાર જણાવ્યો. તે સાંભળી કામરાગ વડે રાજાએ તેને કહ્યું કે હે કમલાક્ષી! તું જરા સ્વસ્થ થા.” પછી રાજાએ તે વાત અભયકુમારને કરી. તેણે રાજાના હૃદય ઉપર અન્ય પ્રાણીનું માંસ બાંઘી, છરીથી તેને કાપીને પ્રપંચથી રાણીનો દોહદ પૂર્ણ કંર્યો. . તે કુશાંગીએ ક્રમે કરી પુત્રને જન્મ આપ્યો, અને જન્મતાં જ તેનો ત્યાગ કર્યો, અશોકવાડીમાં કોઈ વૃક્ષની નીચે મૂકી દીધો. તે વાત દાસીમુખથી સાંભળીને રાજાએ સ્નેહવશે તે પુત્રને લાવી પાછો રાણીને સોંપ્યો. રાજાએ હર્ષથી પ્રથમ તે પુત્રનું નામ અશોશ્ચંદ્ર પાડ્યું પરંતુ કૂકડાએ તેની આંગળીને દંશ કર્યો હતો તેથી તે બાળક શ્રેણિક નામથી ઓળખાવા લાગ્યો. તે આંગળીની વેદનાથી તે બાળક મોટેથી રડવા લાગ્યો. તેથી રાજાએ તે આંગળી પોતાના મુખમાં રાખીને તેને સમાધિવાળો કર્યો. બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેણે કોઈ રાજપુત્રી સાથે પાણિગ્રહણ કર્યું અને તેની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો.
કોશિકને દેવ જેવા હલ્લ અને વિહલ્લ નામના બે નાના ભાઈઓ હતા. શ્રેણિક રાજાએ કંડલ, હાર અને હસ્તી રૂપ દિવ્ય વસ્તુઓ પોતાના નાના પુત્ર હલ્લ અને વિહલ્લને આપી. તેથી ઈર્ષા ઉત્પન્ન થવાને લીધે કોણિકે પોતાના પિતાને કચ્છના પિંજરામાં નાખ્યો અને પોતે રાજા થયો. પછી તે દરરોજ કોરડાથી પિતાને મારતો હતો.
અન્યદા કોણિક રાજાની પત્ની પદ્માવતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તે "ત્ર બે વર્ષનો થયો ત્યારે કોણિક રાજા તેને પોતાના ખોળામાં બેસાડી ભોજન ઈરતો હતો એટલામાં પુત્રે પેશાબ કર્યો. તેના છાંટા ભોજનમાં પડ્યા. છતાં