SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપદેશમાળા. ભર્તાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે, તેથી મને મહદ્ દુઃખ થાય છે. હું શું કરું? ક્યાં જાઉં? હે માતા! અહીં આવીને દુઃખદાવાગ્નિથી બળતી તારી પુત્રીનું રક્ષણ કર. અથવા તું આવતી નહીં, કારણ કે મારું દુઃખ જોઈને તારું હૃદય ફાટી જશે. હું મંદભાગ્યવતી છું. કારણ કે હું કુમારાવસ્થામાં પિતાને વર શોઘવાની ચિંતાનું કારણ થઈ હતી. પાણિગ્રહણ વખતે પિતાને બંઘન વગેરેનું કષ્ટ પ્રાપ્ત કરાવ્યું હતું. અત્યારે પણ આ સાંભળીને તે દુઃખી થશે.” આ પ્રમાણે અનેક રીતે વિલાપ કરતી સતી તે મનમાં વિચાર કરવા લાગી કે પ્રથમ મારા સ્વામીએ મારા શીલની સારી રીતે પરીક્ષા કરી ક્તી. પરંતુ એવું જણાય છે કે કોઈ નિષ્કારણ વેરીએ અથવા ભૂતરાક્ષસ વગેરેએ ઇંદ્રજળનું સ્વરૂપ બતાવીને મારા સ્વામીનું મન વ્યર્ડ્સાહિત કરી નાંખ્યું છે. તેથી હમણા ધંયુક્ત મારે પિતાને ઘેર જવું સર્વથા યુક્ત નથી. હમણાં તો જટિકાના પ્રભાવથી પુરુષરૂપ ઘારણ કરીને રહું, કારણ કે પાકા બદરી ફળ જેવા સ્ત્રીશરીરને જોઈને કોણ ભોગવવાની ઇચ્છા ન કરે? કહ્યું છે કે “તળાવનું પાણી પીવા, તાંબૂલ ખાવા અને યૌવનાવસ્થામાં સ્ત્રીના શરીરને જોવા કોણ ઉત્સુક ન થાય?” મારે તો પ્રાણત્યાગથી પણ શીલનું રક્ષણ કરવું તે શ્રેષ્ઠ છે. કારણ કે આ સંસારમાં શીલ સિવાય બીજો પરમ પવિત્ર અને નિષ્કારણ મિત્ર નથી. કહ્યું છે કે “શીલ એ નિર્ધનનું ઘન છે, અલંકાર રહિતનું આભૂષણ છે, વિદેશમાં પરમ મિત્ર સમાન છે, અને આ ભવમાં તથા પરભવમાં સુખ આપનારું છે.” વળી શીલના પ્રભાવથી પ્રજ્વલિત અગ્નિ શાંત થઈ જાય છે અને સર્પ આદિનો ભય નાશ પામી જાય છે. આગમમાં પણ કહ્યું છે કે દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર વગેરે બ્રહ્મચારીને નમસ્કાર કરે છે, કારણ કે તે દુષ્કર કાર્યના કરનાર છે.” વળી કોઈ ક્રોડોગમે સોનૈયાનું દાન દે અથવા સોનાનું જિનભુવન કરાવે તોપણ જેટલું પુણ્ય બ્રહ્મવૃત ઘારણ કરનારને થાય છે તેટલું તેને થતું નથી.” આ પ્રમાણે વિચારી તે જટિકાના પ્રભાવથી બ્રાહ્મણનો વેષ ઘારણ કરીને પાડલીપુરની પશ્ચિમ દિશાએ આવેલ “ચક્રઘર' નામના ગામની સમીપે ચક્રઘર દેવતાના મંદિરમાં પૂજારી તરીકે રહી, અને સુખે કાળ નિર્ગમન કરવા લાગી. હવે સારથીએ રણસિંહ કુમાર પાસે જઈને કમલવતી સબંઘી સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળીને આ સર્વ ગંઘમૂષિકાના મંત્રાદિનું માહાત્મ છે' એવું જાણી કુમાર અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “મેં અઘમે કુલને અનુચિત એવું આ શું આચર્યું કે જેથી નિર્દોષ એવી પ્રાણપ્રિયાને લંક ચડાવ્યું? મારી તે પ્રાણપ્રિય કમલાક્ષી કમલવતી શું કરતી હશે? હું શું કરું? તેના વિના સર્વ શુન્ય લાગે છે. દીપ છતાં, અગ્નિ છતાં તથા નાના પ્રકારના મણિ છતાં એક તે મૃગાક્ષી વિના આ જગત બધું અંધકારમય લાગે છે. કોણ જાણે તે મારી વલ્લભા હવે મને ક્યારે
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy