________________
(૧) રણસિંહ કથા રથમાં બેસાડીને તેના પિતાને ઘેર મૂકી આવો.” એ પ્રમાણે સાંભળીને સેવકો વિચાર કરવા લાગ્યા કે “આ આવું અઘટિત કેમ કરે છે? પણ આપણને તો સ્વામીનું વાક્ય ઉલ્લંઘન ન થઈ શકે તેવું છે. એ પ્રમાણે વિચારીને તેઓ કમલવતીની પાસે આવી બોલ્યા કે “હે સ્વામિની! તમારા પતિ વાટિકામાં ગયા છે ને તમને ત્યાં બોલાવે છે, માટે રથમાં બેસીને શીધ્ર ચાલો.” એ પ્રમાણે અસત્ય બોલીને તેઓએ તેને રથમાં બેસાડી.
તે વખતે કમલવતીની જમણી આંખ ફરકી, તેથી તે વિચારવા લાગી કે “અત્યારે શું અશુભ થશે? પણ સ્વામી મને બોલાવે છે માટે જરૂર જવું, જે બનવાનું હોય તે બનો.” એ પ્રમાણે વિચારી વ્યગ્રચિત્તે તે રથમાં બેઠી. સેવકોએ રથને સત્વર ચલાવ્યો. કમલવતીએ પૂછ્યું કે “મારા સ્વામીથી અલંકૃત થયેલું ઉપવન કેટલું દૂર છે?” ત્યારે સેવકે ઉત્તર આપ્યો કે “વન ક્યાં અને તમારા સ્વામી પણ ક્યાં? કુમારે તમારા પિતાને ઘેર તમને મૂકી આવવાની અમને આજ્ઞા આપી છે.' કમલવતીએ કહ્યું કે “ભલે, જ્યારે આવું વગર વિચાર્યું તેમજ પરીક્ષા કર્યા વિનાનું કાર્ય કર્યું છે તો પછવાડેથી તેમને ઘણો પશ્ચાત્તાપ થશે, બાકી મારે તો જે કર્મ ઉદયમાં આવ્યું છે તે ભોગવવું જ જોઈએ. કહ્યું છે કે “કરેલા કર્મોનો ક્ષય કરોડો વર્ષે પણ થતો નથી. શુભ વા અશુભ જે કર્મ કર્યું હોય, તે અવશ્ય ભોગવવું જ પડે છે. પરંતુ મુજ નિરપરાથી પ્રત્યે આ શું આચર્યું?” • આ પ્રમાણે વિચારતી તે થોડા દિવસમાં પાડલીપુર સમીપે આવી પહોંચી. એટલે કમલવતી બોલી કે “હે સારથી! તું અહીંથી જ રથને પાછો વાળ. હવે અહીં તારું કંઈ કામ નથી. આ સ્થાનથી હું પરિચિત છું. અહીં સામે જ પાડલીપુરનું ઉપવન દેખાય છે, તેથી હું એકલી સુખેથી જઈશ. એ પ્રમાણે સાંભળી સારથી પ્રણામ કરીને આંખમાં અશ્રુ લાવી બોલ્યો કે “હે સ્વામિની! તમે સાક્ષાત્ શીલરૂપી ભૂષણને ઘારણ કરનારા લક્ષ્મી છો, ને હું અઘમ આજ્ઞાનો પાલક કર્મચંડાળ છું, કે જેથી તમને અરણ્યમાં તજી દઉં છું. દુષ્ટ કર્મ કરનાર એવા મને ધિક્કાર છે.” એ પ્રમાણે બોલતાં સારથીને કમલવતીએ કહ્યું કે “હે સન્દુરુષ! આમાં તારો અપરાઘ નથી. જે સેવક છે તે તો સ્વામીની આજ્ઞા પ્રમાણે જ કરે છે. પણ તે મંદભાગ્યવંતને મારું એક વચન કહેજે કે “શું આપે કરેલું આ કાર્ય કલોચિત છે?”” એ પ્રમાણે સાંભળીને કમલવતીને વટ તરુની નીચે મૂકીને સારથી રથ લઈને પાછો વળ્યો. ' પછી એકાકી કમલવતી રોતી ને વિલાપ કરતી બોલવા લાગી કે “હે વિઘાતા! તેં આ અતિ ક્રૂર કાર્ય શું આચર્યું? અકાળે વજ પડવા જેવું પ્રિયના વિયોગથી ઉત્પન્ન થતું દુઃખ તેં મને શા માટે આપ્યું? મેં તારો શો અપરાઘા કર્યો હતો? આ દુઃખ તો સર્વ સહન થઈ શકે તેમ છે, પરંતુ ખોટું કલંક ચડાવીને