SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ઉપદેશમાળા કે જેથી તેને કલંકથી દૂષિત માનીને કુમાર ઘરમાંથી કાઢી મૂકે.” તે સાંભળીને પરિવ્રાજિકાએ તે વાત કબૂલ કરી અને બોલી કે એમાં તે શું મોટું કામ છે? તે હું અલ્પ કાળમાં કરીશ. એ પ્રમાણે વચન આપીને તે થોડા દિવસમાં રણસિંહ કુમાર હતા તે નગરમાં આવી. ત્યાં તે અંતઃપુરમાં કનકવતીના મંદિરમાં ગઈ, અને તેને રત્નાવતીના કુશલ સમાચાર વગેરે જણાવ્યા. રત્નાવતીના તરફથી સમાચાર લાવેલી હોવાથી કનકવતીએ તેને સન્માન આપ્યું. પછી તે હંમેશાં અંતઃપુરમાં જવા લાગી. અને કહલ વિનોદ વગેરે વાર્તા કરવા લાગી. તે કમલવતીની સાથે વિશેષ વાતચીત કરતી હતી, અને જેમ કમલવતીનો તેના પર વધારે વિશ્વાસ ઉત્પન્ન થાય તેમ કરતી હતી. દરરોજ જવા-આવવાનું કરતાં તેણે એક દિવસ ફૂટ વિદ્યાથી કમલવતીના મંદિરને વિષે પરપુરુષને આવતો કુમારને બતાવ્યો. પણ તેના મનમાં જરાયે આવ્યું નહીં. તે તો વિચાર કરવા લાગ્યો કે કમલવતીનું શીલ સર્વથા નિષ્કલંકિત છે. છતાં વારંવાર પરપુરુષને આવતાં જોવાથી કુમારે વિચાર્યું કે શું કમલવતી શીલથી ખંડિત થઈ હશે કે જેથી હું હંમેશા તેના મંદિરમાં પરપુરુષને આવતો જતો પ્રત્યક્ષ જોઉં છું? તેણે કમલવતીને પૂછ્યું કે “હું હમેશાં તારા મંદિરને વિષે પરપુરુષને આવતો જોઉં છું તેનું શું કારણ?” તે સાંભળી કમલવતી બોલી કે હે પ્રાણનાથ! હું કંઈ પણ જાણતી નથી. જ્યારે તમે પરપુરુષના સંચારનું સ્વરૂપ પૂછો છો ત્યારે તે મારાં કર્મનો દોષ છે. જ્યારે તમે એવું જુઓ છો ત્યારે હું જરૂર મંદભાગ્યવતી છું. માટે જો આ પૃથ્વી માર્ગ આપે, તો તેમાં સમાઈ જાઉં કે જેથી એવું અશ્રાવ્ય વચન સાંભળવું ન પડે.” આવો ઉત્તર સાંભળીને કુમાર વિચારવા લાગ્યો કે “ખરેખર એ ભૂત આદિનું વિલસિત જણાય છે. આનામાં કોઈ પણ પ્રકારની કુચેષ્ટા જણાતી નથી. જોકે સુંદર ભ્રકુટીવાલી સ્ત્રી યૌવનાવસ્થામાં તીણ કટાક્ષ ફેંકીને પરના મનને મોહિત કરે છે, પરંતુ તે પુરુષોની સાથે હંમેશા સંગમ કેવી રીતેં સંભવે? તેમાં પણ વિશેષ કરીને અંતઃપુરને વિષે તો તે સંભવે જ નહીં. કેમકે અકાલ મૃત્યુનો અભિલાષી એવો કોણ અહીં હંમેશાં આવે?” એ પ્રમાણે વિચાર કરવાથી તે સત્ય જણાયું નહીં, પણ મનમાં શંકાયુક્ત રહ્યો તેથી કાંઈક સ્નેહ તો ઘટ્યો. પેલી દાએ વિચાર કર્યો કે “હજુ પણ આનું ચિત્ત તેના ઉપરથી વિરક્ત થયું નહીં, તેથી હવે બીજા ઉપાયોથી તેમના સ્નેહનો ભંગ કરું.” એવું ઘારીને તાંબૂલભોજનના ઉપાયે કરી મંત્રચૂર્ણાદિનો યોગ કરીને તેણે કુમારનું મન વિરક્ત કર્યું. કુમારનું મન જે પૂર્વે કમલવતી પર ગાઢ પ્યારમાં લગ્ન હતું તેને મંત્રચૂર્ણાદિના પ્રયોગથી તેના પ્રત્યે જ્વલાયમાન કર્યું. કુમાર લોકાપવાદથી ડરીને વિચારવા લાગ્યો કે “આ કમલવતીને તેના પિતાને ઘરે મોકલી દઉં, અહીં રાખવા લાયક નથી.” એ પ્રમાણે વિચારીને તેણે સેવકોને બોલાવી આજ્ઞા કરી કે “તમે કમલવતીને
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy