________________
(૩૮) કામદેવ શ્રાવકનું વૃત્તાંત
१७१
“દુછક્ક. એટલે બાર પ્રકારના શ્રાવકધર્મનું મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ તે સમ્યક્ત્વ છે એમ કહેલું છે.” “સમ્યક્ત્વનું ફળ આ પ્રમાણે છે–
सम्मत्तं । સંસારો ॥૧॥
अंतोमुहुत्तमितंपि फासिअं हुज जेहिं तेसिं अवढ्ढपुग्गल-परिअट्ठो चेव सक्कइतं कीरइ, जं न सक्कइ तयंमि सद्दहणा । सद्दा
નીવો, वच्चइ अयरामरं ठाणं ॥ २॥
“અંતર્મુહૂર્ત માત્ર પણ જે જીવને સમતિ ફરસ્યું હોય તેને અર્થ પુદ્ગલ પરાવર્ત જ સંસાર રહે છે, વધારે રહેતો નથી. વ્રતાદિ જે કાંઈ બની શકે તે કરવું અને જે ન બની શકે તેમાં શ્રદ્ધા રાખવી, એ પ્રમાણે સદ્દહનારો જીવ પણ અજરામર સ્થાનકને પામે છે.” માટે સમકિતના મૂળરૂપ વ્રતો સમકિત સહિત સારી રીતે આરાઘ્યાં હોય તો આ લોકમાં ને પરલોકમાં બહુ ફળદાયી થાય છે.’’
આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળીને, પરમ સંવેગ જેને પ્રાપ્ત થયેલ છે એવો કામદેવ શેઠ પણ સમતિના ઉચ્ચારપૂર્વક બાર વ્રતધારી થયો, અને જીવાજીવાદિ તત્ત્વનો જાણકાર થઈ સારી રીતે શ્રાવકધર્મ પાળવા લાગ્યો.
એકદા સૌધર્મ ઇંદ્રે તેનાં વખાણ કર્યા કે ‘કામદેવ શ્રાવક વૃઢઘર્મી છે. દેવો પણ તેને ધર્મથી ચળાવવાને સમર્થ નથી. અરે! શું તેનું ધૈર્ય છે?” એ પ્રમાણે કામદેવની બહુ પ્રશંસા સાંભળી કોઈ એક મિથ્યાવૃષ્ટિ દેવ, દેવેન્દ્રની વાણી ખોટી સિદ્ધ કરવા કામદેવ પાસે આવ્યો. તે વખતે કામદેવ પોસહ કરી પૌષધશાળામાં કાયોત્સર્ગમુદ્રામાં રહ્યો હતો. પેલો દેવ મધ્યરાત્રિએ ભયંકર રાક્ષસનું રૂપ કરી, હાથમાં યમની જિહ્વા જેવું ખડ્ગ લઈ, પાદપ્રહારથી ભૂમિને કંપાવતો, મુખ પહોળું કરી અટ્ટહાસ્ય કરતો કામદેવની પાસે આવ્યો અને બોલ્યો કે ‘આ પચખાણને તું છોડી દે અને આ કાયોત્સર્ગમુદ્રાનો ત્યાગ કર, નહીં તો આ ખગવડે તારા ટુકડે ટુકડા કરી નાખીશ, જેથી તું આર્ત્તધ્યાનથી અકાલે મૃત્યુ પામીશ.' એ પ્રમાણે વારંવાર કહેવા છતાં કામદેવ ધ્યાનથી ચલિત થયો નહીં. પછી ક્રોધ ઉત્પન્ન થવાથી તે દેવે ખડ્ગવડે કામદેવનું શરીર છેદ્યું, જેથી તેને ઘણી વેદના થવા લાગી, તો પણ તે ધ્યાનથી ક્ષોભ પામ્યા નહીં. પછી દેવે પર્વત જેવું મોટું હાથીનું રૂપ વિકર્યું, અને સૂંઢને ઉછાળતો કામદેવ પ્રત્યે બોલ્યો—‘હે કામદેવ ! આ વ્રતોને છોડી દે અને આ કાયોત્સર્ગમુદ્રાનો ત્યાગ કર, નહીં તો આ સૂંઢ વડે ઉપાડી, ભૂમિ ઉપર પછાડી દંતપ્રહારથી તને છૂંદી નાખીશ.' આ પ્રમાણે કહેવા છતાં તે ઘ્યાનથી ચલિત થયો નહીં. ત્યારે સૂંઢ વડે ઊંચે ઉછાળીને પૃથ્વી ઉપર પછાડ્યો અને દંતપ્રહારોથી વીંધી નાખ્યો; છતાં તે જરા પણ ક્ષોભ પામ્યો નહીં અને મનમાં વિચારવા લાગ્યો કે–