SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) સાગરચંદ્ર કુમારનું દૃષ્ટાંત ૧૬૯ પોતાનો અવિનય ખમાવી લક્ષ મૂકીને બોલ્યો કે “હે તાત! આપ બોલ્યા છો કે હું કમલામેલાનો મેલાપ કરાવનાર છું તો તે વાત સત્ય કરો. સત્પુરુષો પોતાનું બોલેલું પાળે છે. કહ્યું છે કે— जं भासतेण वि सज्जणेण, जं भासियं मुहे वयणं । तव्वयणसाहणत्थं सप्पुरिसा हुंति उज्जमिया || ‘બોલતાં બોલતાં સજ્જનો પોતાને મુખે જે વચન બોલે છે તે વચન સાધવાને—સત્ય કરવાને માટે સત્પુરુષો ઉદ્યમવંત હોય છે.' વળી સત્પુરુષો પરોપકાર કરવામાં પણ કુશળ હોય છે. કહ્યું છે કે— मनसि वचसि काये पुण्यपीयूषपूर्णात्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ ‘મન વચન અને કાયામાં પુણ્યરૂપી અમૃતથી ભરેલા, અનેક પ્રકારના ઉપકારોથી આખા ત્રિભુવનને પ્રસન્ન કરનારા અને હંમેશાં અન્યના પરમાણુ જેવા અલ્પ ગુણોને પણ પર્વત જેવા મોટા કરીને સ્વહૃદયમાં આનંદ પામતા એવા સત્પુરુષો કેટલા હોય છે? કોઈક જ હોય છે.' માટે હે કાકા! કમલામેલાનો મેલાપ મને કરાવો.” આ પ્રમાણે સાંભળીને શાંબકુમારે તે વાત કબૂલ કરી. પછી પોતાની વિદ્યાના બળથી મલામેલાના ઘર સુધી સુરંગ કરાવીને તે સુરંગદ્વારા કમલામેલાનું હરણ કર્યું અને દ્વારિકાનગરીના ઉદ્યાનમાં આણી. પછી નારદ મુનિને બોલાવીને તેની સાક્ષીએ શુભ મુહૂર્તે સાગરચંદ્ર સાથે તેને પરણાવી. અહીં તે કન્યાના માતાપિતાએ ‘કન્યાનું હરણ થયું છે’ એમ જાણી સર્વત્ર તપાસ કરી તો વનમાં છે એમ સમાચાર મળ્યા, એટલે તેમણે કૃષ્ણની આગળ ફરિયાદ કરી કે ‘હે સ્વામિન્! આપ જેવા સમર્થ નાથ છતાં હું અનાથ હોઉં એમ જાણી મારી કન્યા કોઈ એક વિદ્યાધરે હરણ કરીને વનમાં મૂકી છે.’ તે સાંભળીને સૈન્ય સહિત દેવકીપુત્ર (કૃષ્ણ) ત્યાં આવ્યા. તેને આવતા જોઈ નારદજી સાથે શાંબ સામે આવી પિતાના પગમાં પડ્યો અને સર્વ હકીકત જણાવી. ‘પોતાનું પુત્રનું જ આ કૃત્ય છે' એમ જાણી કૃષ્ણ મૌન થઈને ઊભા રહ્યા. પછી સાગરચંદ્રે આવી નભસેનના ચરણમાં પડી તેને ખમાવ્યો, પણ નભસેને તેને ક્ષમા આપી નહીં. હવે સાગરચંદ્રે કમલામેલાની સાથે વિષયસુખ ભોગવતાં કેટલોક કાળ વ્યતીત કર્યો. પછી એક દિવસ ભગવાન નેમિનાથની દેશના સાંભળીને તેણે શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યાં. દ૨૨ોજ પોતાના વ્રતોનું પાલન કરતા સતા એક વખત શ્રાવકની પડિમાનું વહન કરતાં તે સ્મશાનભૂમિમાં જઈને કાયોત્સર્ગે
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy