________________
૧૬૮
ઉપદેશમાળા
સાગરચંદ્ર પણ તે બાળાનું ધ્યાન કરતો તો ક્ષણમાત્ર પણ આનંદ મેળવી શકતો નથી. જેમ ઘતુરાનું ભક્ષણ કરવાથી માણસ ચારે બાજુ સુવર્ણ જુએ છે, તેમ સાગરચંદ્ર પણ મોહવશ થઈને સર્વત્ર કમલામેલાને જ જુએ છે. તે તેનામાં તન્મય થઈ ગયો છે. કહ્યું છે કે
प्रासादे सा दिशि दिशि च सा पृष्ठतः सा पुरस्सा पर्यके सा पथि पथि च सा तद्वियोगातुरस्य । हं हो चेतः प्रकृतिरपरा नास्ति मे कापि सा सा
सा सा सा सा जगति सकले कोयमद्वैतवादः ॥ ...
કમલામેલાના વિયોગથી આતુર થયેલા સાગરચંદ્રને મહેલમાં, દરેક દિશામાં, પૃષ્ઠ એટલે પાછળના ભાગમાં તેમજ અગ્ર ભાગમાં, શયામાં તથા દરેક રસ્તામાં–જ્યાં જુએ છે ત્યાં કમલામેલા જ જોવામાં આવે છે. અરે ચિત્ત!તે બાળા મારાથી જુદી છે, તે કાંઈ મારી પ્રકૃતિ) નથી, છતાં જગતમાં સર્વત્ર તે જ દ્રષ્ટિગત થાય છે, તેથી આ અદ્વૈતવાદ (એકરૂપતા) ક્યા પ્રકારનો છે?” સાગરચંદ્ર તેના વિના આખું જગત અંઘકારમય માનવા લાગ્યો. કહ્યું છે કે
सति प्रदीपे सत्यग्नौ सत्सु नानामणिषु च ।
विनैकां मृगशावाक्षिं, तमोभूतमिदं जगत् ॥ “દીવો છતાં, અગ્નિ છતાં અને વિવિઘ પ્રકારના મણિઓ છતાં મૃગશિશુના નેત્ર જેવા નેત્રવાળી તે બાળા વિના સઘળું જગત અંઘકારમય છે.” તે ભ્રાંતિથી સર્વત્ર કમલામેલાને જ જુએ છે. ભ્રાંતિથી દેખાતી તે બાળા પ્રત્યે “હે પ્રાણપ્રિયે! મારી પાસે આવ, તારું આલિંગન આપ” એમ બોલતાં અને અનેક પ્રકારની ચેણ કરતા એવા તેને શાંબકુમારે જોયો. તેથી તેણે પાછળથી આવી હાસ્યથી સાગરચંદ્રની આંખો બંધ કરી. ત્યારે સાગરચંદ્ર બોલ્યો કે હું જાણું છું કે તું કમલામેલા છે. તું મારી આંખો શા માટે બંઘ કરે છે? તું આવીને મારા ખોળામાં બેસ તો વઘારે સારું.” એ સાંભળીને શાંબકુમારને હસવું આવ્યું. તે બોલ્યો કે “વત્સ સાગરચંદ્ર! હું કાંઈ કમલામેલા નથી. હું તો તે કમલામેલાનો મેલાપ કરાવનારો તારો કાકો છે. માટે આંખો ઉઘાડ અને સારી રીતે જો. અહો! કામાંઘપણું કેવું છે? કહ્યું છે કે
दिवा पश्यति न घूकः काको नक्तं न पश्यति ।
अपूर्वः कोऽपि कामांधो, दिवा नक्तं न पश्यति ॥ ઘુવડ દિવસે જોઈ શકતો નથી, કાગડો રાત્રે જોઈ શકતો નથી, પણ કામાંથ તો કોઈ એવો અપૂર્વ અંઘ છે કે જે દિવસે તેમજ રાત્રે-કોઈ વખત જોઈ શકતો નથી.” એટલું કહેતાં સાગરચંદ્ર કાકાને જોયા એટલે તે તેના ચરણમાં પડ્યો અને