________________
(૩૩) બલદેવ, રથકાર ને મૃગની કથા
૧૫૯ બલદેવને એક દિવસે સિદ્ધાર્થ નામના દેવે આવી યંત્રમાં રેતી પીલવાનું બતાવીને બોઘ કર્યો, છતાં પણ તે બોઘ પામ્યા નહીં. ઊલટા ખગ ઉગામી “મારા ભાઈને મરણ પામેલો તું કેમ કહે છે?” એમ બોલતા તેની પાછળ મારવા દોડ્યા, પણ દેવ અદ્રશ્ય થઈ ગયો. વળી ફરીથી તે દેવને પર્વતની શિલા પર કમળ વાવતો જોઈને બલદેવે કહ્યું કે રે મૂર્ખ! શિલાની અંદર શું કમલની ઉત્પત્તિ સંભવે છે?” દેવે કહ્યું કે “જો તારો મૃત્યુ પામેલો ભાઈ ઊભો થઈ તને “હે ભાઈ!' એ પ્રમાણે કહેશે તો આ શિલામાં પણ કમળની ઉત્પત્તિ થશે.” એ પ્રમાણે કહેવા છતાં પણ બલદેવ મોહને વશ થયેલા હોવાથી પોતાનો ભાઈ મૃત્યુ પામેલો છે એમ તેમણે જાણ્યું નહીં. એ પ્રમાણે તેમણે છ માસ સુધી ભ્રમણ કર્યું. પછી તેમણે તે શરીરને વિનાશ પામેલું જાણ્યું એટલે છોડી દીધું. સિદ્ધાર્થદેવે તે શરીરને સમુદ્રમાં નાખ્યું.
પછી બહુ વિલાપ કરતા એવા બલદેવને શ્રી નેમિનાથે મોક્લેલા ચારણ મુનિએ આવીને પ્રતિંબો પમાડ્યો, તેથી વૈરાગ્યપરાયણ થઈને તેમણે તે ચારણ મુનિ પાસે દીક્ષા લીધી. પછી પર્વત ઉપર રહી ઉગ્ર તપ કરવા લાગ્યા. એક વાર માસક્ષપણને પારણે શહેરમાં આહાર લેવા માટે આવતાં તેમને કૂવાને કાંઠે ઊભેલી એક સ્ત્રીએ જોયા. તેના રૂપથી મોહિત થયેલી તે સ્ત્રીએ ઘડાની ભ્રાંતિથી પુત્રના ગળામાં દોરડાનો ગાળિયો નાંખ્યો. તે જોઈને બલરામ મુનિએ કહ્યું કે હે મુગ્ધ! તું આ શું કરે છે? મોહથી પરાધીન થઈને પુત્રને કેમ મારે છે?” પછી તેમણે વિચાર કર્યો કે મારા રૂપને ધિક્કાર છે! હવે મારે નગરમાં આવવું શ્રેયસ્કર નથી; વનવાસ સેવવો જ સારો છે. એ પ્રમાણે અભિગ્રહ કરીને તંગિકા પર્વત ઉપર રહ્યા. ત્યાં પારણાને દિવસે જો કોઈ સાથે અથવા કોઈ કઠિયારો આવે અને તેમને શુદ્ધ અન્ન વહોરાવે, તો તે આહાર કરે, નહીં તો તપમાં વૃદ્ધિ કરે. એ પ્રમાણે તપ કરતાં તેમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ, અને દેશનાવડે અનેક વ્યાઘ તથા સિંહ વગેરે પ્રાણીઓને પ્રતિબોઘ પમાડ્યો. પેલો સિદ્ધાર્થ દેવ પણ તેમની સેવામાં જ રહેવા લાગ્યો. ત્યાં એક અતિ ભદ્રિક મૃગ દેશનાથી પ્રતિબોઘ પામ્યો. તે અહર્નિશ તેમની સેવા કરે છે અને વનમાં ભમે છે. જ્યાં તે આહારનો યોગ જાણે છે ત્યાં તે સંબંધી સંજ્ઞાવડે બલભદ્ર મુનિને જણાવે છે. મુનિ પણ તેને આગળ કરીને ત્યાં જાય છે.
એક દિવસ કોઈ રથકાર (સુતાર) તે વનમાં આવ્યો. તે કોઈ મોટા વૃક્ષની શાખા કાપતા કાપતા અરધી મૂકી રસોઈ કરવા લાગ્યો. પેલા મુગે તે જોઈને સંજ્ઞાવડે મુનિને નિવેદન કર્યું. મુનિ મૃગની સાથે ત્યાં આવ્યાં. સાઘને આવેલા જોઈ રથકાર ઘણો હર્ષિત થઈને વહોરાવવા લાગ્યો. તે વખતે પેલો મૃગ પણ આગળ ઊભો રહી શભ ભાવના ભાવે છે. તેવામાં પેલી અરથી કાપેલી ડાળી એકાએક તૂટી પડી ને સમકાળે ત્રણેના ઉપર પડવાથી તે ત્રણે જણા કાલ કરી પાંચમા