SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવ ૧૫૭ નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ત્યારપછી ઘણા કાળ સુધી સંસારમાં ભટક્યો. પછી બાવીશમા ભવે એક ક્રોડ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થયો. તે ભવમાં શુભ કમ કરી ત્રેવીસમા ભવે મહાવિદેહમાં મૂકાનગરીમાં “ધનંજય” રાજાને ઘેર ઘારિણી રાણીની કુક્ષિમાં ચૌદ સ્વપ્નથી સૂચન કરાયેલ “પ્રિયમિત્ર' નામે ચક્રવર્તી થયો. પ્રાંતે પોટ્ટિલાચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કરી એક કોટી વર્ષ સુધી ચારિત્ર પાળી પૂરેપૂરું ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી ચોવીશમા ભવે સાતમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી પચીશમા ભવે છત્રિકા નગરીમાં જિતશત્રુ રાજાને ઘેર ભદ્રા નામની રાણીની કુક્ષિમાં પચીશ લાખ વર્ષના આયુષ્યવાળો નંદન નામે પુત્ર થયો. તેણે તે ભવમાં પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લઈ યાજજીવ માસક્ષપણ કરી વીશસ્થાનકની આરાઘના વડે તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું. એક લાખ વર્ષ સુધી ચારિત્ર પાળીને પ્રાંતે એક માસની સંખનાવડે છવ્વીસમા ભવમાં દશમા દેવલોકમાં પુષ્પોત્તરાવર્તસ વિમાનમાં વીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી સત્તાવીશમા ભવે ચોવીસમા તીર્થંકર થયા. આ પ્રમાણે મરીચિના ભવમાં તેણે ઉત્સુત્ર ભાષણથી કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસારની વૃદ્ધિ કરી. એ પ્રમાણે અન્ય જીવો પણ જો ઉસૂત્ર ભાષણ કરે તો સંસારની વૃદ્ધિ કરે; માટે ઉત્સુત્ર ભાષણ કદી પણ કરવું નહીં, એવો આ કથાનો ઉપદેશ છે. . कारुण्णरुण्णसिंगार-भावभयजीविअंतकरणेहिं । ... साहू अवि अ मरंति, न य नियनियमं विराहति ॥१०७॥ : અર્થ–“કારુણ્યભાવ, રુદન, શૃંગારભાવ (હાવભાવાદિ), રાજાદિકનો ભય અને જીવિત તકારી અનુકુળ પ્રતિકૂળ ઉપસર્ગવડે સાધુ કદાચિત મરણ પામે છે, પરંતુ પોતાના નિયમને વિરાઘતા નથી.” અર્થાત્ પૂર્વોક્ત કારણો પ્રાપ્ત થતાં પ્રાણ તજી દે છે, પણ વ્રત તજતા નથી–કારુણ્યાદિવડે વ્રતની વિરાઘના કરતા નથી. ___ अप्पहिअमायरंतो, अणुमोअंतो अ सुग्गई लहइ । रहकारदाणअणुमो-यगो मिगो जह य बलदेवो ॥१०८॥ ' અર્થ–“આત્મહિત એટલે તપ સંયમાદિ તેને આચરતો સતો પ્રાણી સદ્દગતિને પામે છે તેમ જ તે દાનાદિ ઘર્મને અનુમોદતો સતો પણ સદ્ગતિને પામે છે. જેમ મુનિને દાન દેનાર રથકાર, તેના દાનની અનુમોદના કરનાર મૃગ અને તપ સંયમ આચરનાર બળદેવ મુનિ સદ્ગતિને પામ્યા તેમ.” ભાવાર્થ-બળદેવમુનિ, રથકાર ને મૃગ એ ત્રણે પાંચમા દેવલોકે ગયા, તેથી તપ-સંયમાદિ તેમજ દાન-શીલાદિ ઘર્મ કર્યો, કરાવ્યો અને અનુમોદ્યો તો પણ બહુ ફળને આપે છે. અહીં બળદેવ, રથકાર ને મૃગનો સંબંઘ જાણવો.
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy