________________
ઉપદેશમાળા.
લોહવણિક મનમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે ‘અરે ! મેં આ શું કર્યું! તેઓનું કહેવું મેં માન્યું નહીં.' એમ તેણે ઘણા કાળ સુધી શોચ કર્યો.
એ પ્રમાણે હે પ્રદેશી રાજા! તારે પણ લોહવણિકની પેઠે પશ્ચાત્તાપ કરવો પડશે. વળી જે વિવેકી હોય છે તે શું કુળપરંપરાથી આવેલ રોગ કે દારિદ્રયનો ત્યાગ કરવા નથી ઇચ્છતો? જો કુળમાર્ગ એ જ ઘર્મ હોય તો પછી દુનિયામાં અધર્મનું નામ પણ નષ્ટ થશે. વળી—
૧૫૦
दारिद्र्यदास्यदुर्नयदुर्भगतादुःखितादि पितृचरित्रम् । नैवं त्याज्यं तनयैः स्वकुलाचारैककथितनयैः ॥ દારિદ્રય, દાસપણું, અનીતિ, દુર્ભાગીપણું અને દુઃખીપણું આદિ જે પોતાના પિતાદિએ આચર્યું હોય તે જ પોતાનો કુળાચાર એટલે રીતિ છે, એમ કહેનારા પુત્રોએ તો તે ન જ તજવું જોઈએ, પણ એમ કોઈ કરતું નથી. માટે હે રાજા! કુળાચાર એ ધર્મ નથી, કિંતુ જંતુની રક્ષા કરવી ઇત્યાદિ એ જ ધર્મ છે.’’
ઇત્યાદિ વચનોથી પ્રતિબોધ પામેલો પ્રદેશી રાજા વિનય પૂર્વક બોલ્યો કે, 'હે ભગવન્! આ આપનું વચન સત્ય છે અને તત્ત્વરૂપ છે, એ જ ખરો અર્થ છે, એ સિવાય બીજું બધું અનર્થ જ છે.’ એ પ્રમાણે કહીને પ્રદેશી રાજાએ સમતિમૂળ બાર વ્રતો ગ્રહણ કર્યા.
ફરીથી શિક્ષાને અવસરે કેશીગણઘરે કહ્યું કે—
-
माणं तुमं पएसी पुव्विं रमणिजे भवित्ता पच्छा अरमणि भविज्जासि त्ति. આ રાજપ્રશ્નીય સૂત્રનો આલાવો છે. તેનો ભાવાર્થ એ છે કે “પ્રદેશી રાજા! તું પૂર્વે રમણિક થઈને હવે અરમણિક ન થઈશ. એટલે પહેલા અન્યનો દાતા થઈ સાંપ્રત કાળે (હમણાં) જિનધર્મની પ્રાપ્તિ થવાથી તેમનો અદાતા ન થઈશ. કેમકે તેમ થવાથી અમને અંતરાય કર્મ બંધાય અને જિનઘર્મની અપભ્રાજના (નિંદા) થાય. વળી લાંબા વખતથી ચાલ્યા આવતા દાનનો નિષેધ કરવાથી લોકવિરુદ્ધતા અને અપભ્રાજનાદિ દોષ તને પણ પ્રાપ્ત થાય. માટે જેને આપતો હતો તેને આપવું, પણ પાત્રબુદ્ધિએ ન આપવું. અરિહંત વગેરે પણ ઉચિત દાનનો નિષેધ કરતા નથી, માટે તારે તો મિથ્યાત્વને તજવું અને સર્વથી ઉત્તમ એવા દયા દાનને નિરંતર ધારણ કરવું.” એ પ્રમાણે ગુરુની શિક્ષા ગ્રહણ કરીને પ્રદેશી રાજા ઘેર આવ્યો, અને પોતાના ઘનનો (રાજ્યની આમદનીનો) એક ભાગ અંતઃપુર માટે, બીજો ભાગ સૈન્ય માટે, ત્રીજો ભાગ ભંડાર માટે અને ચોથો ભાગ દાનશાલા માટે ઉપયોગમાં લેવો, એ પ્રમાણે નક્કી કરીને સર્વ ઊપજ ચાર ભાગમાં વહેંચી દીધી.
અનુક્રમે શ્રાવકપણું પાળતાં કેટલોક કાળ વ્યતીત થયો. એકદા પરપુરુષમાં લુબ્ધ થયેલી ‘સૂર્યકાન્તા’ નામની તેની પટ્ટરાણીએ તેને ભોજનમાં વિષ આપ્યું. તે વાતની ભોજન કર્યા પછી પ્રદેશી રાજાને ખબર પડી. પરંતુ અવ્યાકુળ ચિત્તે રાણી