SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ઉપદેશમાળા એક દિવસ ક્રીડાને વાતે વનમાં ગયેલા સાગરચંદ્ર માટે તેની માતાએ દાસી મારફત એક લાડુ મોકલ્યો. તે દાસી લાડુ આપવા જતી હતી, તે વખતે તેને બોલાવીને ઓરમાન માતાએ પૂછ્યું કે “આ શું છે? તેણે કહ્યું કે હું રાજા માટે લાડુ લઈ જાઉં છું. તેણે કહ્યું કે જોઉં, તે કેવો છે? દાસીએ તેને આપ્યો. એટલે તે ઓરમાન માતાએ વિષથી ખરડાયેલા હાથવડે તે લાડને સારી રીતે સ્પર્શ કરી, વિષમિશ્રિત કરીને દાસીને પાછો આપ્યો. દાસીએ તે લાડ લઈ જઈને રાજા પાસે મૂક્યો. રાજાએ તે મનોરંજક લાડુ ગ્રહણ કર્યો. પરંતુ તે અવસરે પોતાની આગળ હાથ જોડીને ઊભેલા પોતાના બે સાવકા ભાઈઓને જોઈને સ્નેહવશ તેણે વિચાર કર્યો કે “મારા લઘુ બંઘુઓને છોડીને મારે લાડુ ખાવો એ ઉચિત નથી.' એમ વિચારીને તેણે લાડુના બે ભાગ કરી બન્નેને વહેંચી દીઘો, પોતે ખાશો નહીં. થોડા જ વખતમાં પેલા બન્નેને વિષ ચડવાથી ભૂમિ ઉપર પડેલા જોઈને રાજા ઘણો ખિન્ન થયો, અને મણિ મંત્ર આદિ પ્રયોગ વડે તેમનું ઝેર ઉતાર્યું. પછી તેનું કારણ શોઘતાં) દાસીના મુખથી ઓરમાન માતાના હસ્તસ્પર્શથી થયેલ વિષપ્રયોગ જાણીને તેની પાસે જઈ સાગરચંદ્ર ઉપાલંભ આપવા લાગ્યો કે “તને ધિક્કાર છે! પહેલાં મારા આપતાં છતાં પણ તે રાજ્ય અંગીકાર કર્યું નહીં, અને હાલમાં આવું અકાર્ય કર્યું! અહો! સ્ત્રીઓના ચરિત્રને ધિક્કાર છે! કહ્યું છે કે નિશ્ચિઃ પસિં પુત્ર, પિતર પ્રાતાં ક્ષણમ્ ___ आरोपयन्त्यकार्येऽपि, दुर्वृत्ताः प्राणसंशये॥ “દુરાચારિણી સ્ત્રીઓ પોતાના પતિને, પુત્રને, પિતાને અને ભાઈને ક્ષણવારમાં પ્રાણનો સંશય થાય તેના અકાર્યમાં પણ જોડી દે છે.” હવે દુર્ગતિના કારણભૂત આ રાજ્યથી મારે સર્યું એ પ્રમાણે વિચાર કરી તે ઓરમાન માતાના પુત્ર ગુણચંદ્રને રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. અનુક્રમે ઉગ્ર વિહાર કરતાં કરતાં તેઓ શાસ્ત્રના પારગામી થયા. એકદા ઉજ્જયિનીથી આવેલા એક સાઘુએ સાગરચંદ્ર મુનિને કહ્યું કે “હે સ્વામિનું! ઉજ્જયિનીમાં તમારો ભ્રાતૃપુત્ર (ભત્રીજો ) અને પુરોહિતપુત્ર બન્ને મળી સાઘુઓની મોટી હીલના કરે છે. વિશેષ કહેવાથી શું?” તે સાંભળી ગુરુની આજ્ઞા લઈને તેમને પ્રતિબોથ કરવા માટે સાગરચંદ્ર મુનિ ઉજ્જયિની આવ્યા અને જ્યાં રાજપુત્ર અને પુરોહિતપુત્ર હતાં ત્યાં જઈને ઉચ્ચ સ્વરે ઘર્મલાભ આપ્યો. તે સાંભળીને બન્ને જણા ખુશી થતાં થતાં તેની પાસે આવ્યા અને “ચાલો, આજે ઘર્મલાભ આવ્યા છે તેને આપણે નચાવીએ.” એટલું કહીને તે મુનિને હાથથી પકડીને મહેલ ઉપર લઈ ગયા. પછી બારણું બંઘ કરીને તેઓ સાધુને કહેવા લાગ્યા કે “તું નાચ, નહીં તો અમે તને મારીશું.” ત્યારે સાગરચંદ્ર કહ્યું કે તમે વાજિંત્ર વગાડો એટલે તે પ્રમાણે હું નૃત્ય
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy