SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ દેખે, તે ભૂમિ એવી હોવી જોઈયે કે જ્યાં કીડી આદિના ઈંડા ન હોય, બે ઈન્દ્રિય આદિ પ્રાણી ન હોય, બીજ, લીલું ઘાસ, ઝાકળ, લીલફૂગ, ચિત્ત માટી તથા કીડિયોનો સમૂહ અને કરોળીયા આદિના જાળા ન હોય, આવી ભૂમિ પર તે તૃણોને પાથરે, પાથરતાં પહેલા તે ભૂમિને સ્વયંની આંખોથી સારી રીતે દેખી લે અને પછી રજોહરણથી પૂંજી લે પછી ઉચ્ચાર પ્રસ્રવણની ભૂમિને જોઈ લે. આના પછી પૂર્વદિશા સન્મુખ મુખ રાખીને તે ઘાસના સંસ્તારક સંથારી પર સ્થિર થાય, પછીથી ઈંગિતમરણનો સ્વીકાર કરે. સ્વયંએ કરેલ પ્રતિજ્ઞાને જીવન પર્યંત પાલન કરતો એવો તથા વિવિધ પ્રકારના પરિષહ - ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરતો એવો તે સાધુ નશ્વર નાશવંત શરીરનો ત્યાગ કરે. આ પ્રમાણે કરતો એવો સાધુ ઈંગિતમરણને પ્રાપ્ત કરે છે. કાલનું જ્ઞાન કરવા વાળા સાધુને માટે આ કાલનો અવસર છે, કારણ કે કાલ પ્રાપ્ત ઈંગિતમરણથી મરવાવાળો સાધુ સુગતિને પ્રાપ્ત કરે છે..॥ ૨૨૨ ॥ ૧. ગ્રામ-જ્યાં રાજ્ય તરફથી અઢાર પ્રકારના કર લેવાય તે ગ્રામ. ૨. નગર-નિકર જ્યાં ગાય-બળદ આદિનો કર ન હોય તે મોટી આબાદીને નગર કહે. ૩. ખેડ-ખેટક જે વસતિને ચારે બાજુ માટીનો કીલ્લો હોય. ૪. કબ્બડ-કર્બટ એટલે થોડી વસતિવાલું ગામ હોય. ૫. મડમ્બ-જે ગામથી અઢી કોશ દૂર બીજું ગામ હોય. ૬ પાટણ-પત્તન વ્યાપાર-વાણિજ્યનું મોટું સ્થાન, જ્યાં બધી વસ્તુ મળતી હોય. ૭. દ્રોણમુખ-સમુદ્રના કીનારા પરની વસતિ, જ્યાં જવા-આવવા માટે જલ અને સ્થલ એમ બન્ને માર્ગ હોય. ૮. આગર-આકર સોના-ચાંદી આદિ ધાતુઓ જ્યાં નીકળતી હોય તે ખાણ. ૯. આશ્રમ-તપસ્વી-સંન્યાસી આદિને રહેવાનું સ્થાન. ૧૦: 'સન્નિવેશ-જ્યાં સાર્થવાહ અર્થાત્ મોટા વ્યાપારી બહારથી આવીને રહે. ૧૧. નિગમ-જ્યાં અધિકતર વ્યાપાર કરવાવાળા મહાજનોની આબાદી હોય. ૧૨. રાજધાની-જ્યાં રાજા સ્વયં રહેતો હોય તેને રાજધાની કહેવાય. भावार्थ:- ग्राम नगर आदि किसी भी स्थान पर जाकर साधु तृणों की याचना करे । तृणों की याचना . करके वह एकान्त स्थान में जाकर स्थण्डिल भूमि को देखे । वह स्थण्डिल भूमि ऐसी होनी चाहिये जहां चींटी आदि के अण्डे न हो, बेइन्द्रियादि प्राणी न हों, बीज, हरी दूब, ओस और लीलफूलन, सचित्त मिट्टी एवं चींटियों શ્રી બાવાાં” સૂત્ર ૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭(૨૮૧
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy