SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૨ ઉદ્દેશો - અરતિનો ત્યાગ કરવો જોઈએ, લોભીના દુઃખ અને નિર્લોભીના સુખ. ૩ ઉદ્દેશો - ઉચ્ચ ગોત્ર આદિ કયા પ્રકારે માન ન કરવું જોઈયે, ભોગોમાં આસક્ત ન થવું જોઈએ. ૪ ઉદ્દેશો - ભોગોથી રોગોની ઉત્પત્તિ, ભોગોના ત્યાગનો ઉપદેશ. ૫ ઉદ્દેશો - ગૃહસ્થોના ઘરેથી નિર્દોષ આહારાદિ લઈને સંયમ નિર્વાહ કરવો, એક આશ્રવના સેવનથી બધા આશ્રવોનું સેવન, એક કાયાના આરંભથી બધા કાયોનો આરંભ થાય છે. પ્રભુની આજ્ઞાના આરાધકને મોક્ષપ્રાપ્તિ થાય છે. ત્રીજું અધ્યયન - શીતોષ્ણીય - શરદી, ગરમી અને સુખ-દુઃખની પરવા કર્યા વગર બધી જગ્યાએ સમભાવ રાખો. આ અધ્યયનમાં ૪ ઉદ્દેશા... ૧ ઉદ્દેશો - ખરી રીતે - વાસ્તવિક કોન સુતેલું છે ? અજ્ઞાની દ્રવ્યથી જાગતો હોવા છતાં પણ ભાવથી સુતેલો છે અને જ્ઞાની દ્રવ્યથી સુવા છતાં પણ ભાવથી સદા જાગતો હોય છે, વીર-મુનિ પરિષહ ઉપસર્ગો ને સમભાવથી સહન કરે છે. ઉદ્દેશો - બધાને સુખ પ્રિય છે, પાપના કટુફલ, પાપના ત્યાગનો ઉપદેશ, મોક્ષાર્થીએ બાહ્ય-આત્યંતર બન્ને પ્રકારથી બંધનોને તોડી વિષયાસક્તિનો ત્યાગ કરવો જોઈયે. ૩ ઉદ્દેશો – મુનિએ સમભાવી થવું જોઈયે, લજ્જા આદિના કારણે પાપનો પરિહાર તથા પરિષહ સહન કરવા માત્રથી મુનિ નથી બનતા, તેના માટે હૃદયમાં સંયમ જોઈયે, આત્માનો સાચો મિત્ર આત્મા જ છે. ૪ ઉદ્દેશો - ચાર કષાયોના ત્યાગનો ઉપદેશ. ચોથું અધ્યયન - સમ્યક્ત્વ - સમ્યક્ત્વનું વર્ણન આ અધ્યયનમાં ૪ ઉદ્દેશા.... ૧ ઉદ્દેશો - પદાર્થોના યથાર્થ સ્વરૂપ વર્ણન, સમકિતનું વર્ણન ૨ ઉદ્દેશો - આશ્રવ અને નિર્જરાનું વર્ણન, પરમતનું યુક્તિથી ખંડન ૩ ઉદ્દેશો - તપનું વર્ણન ૪ ઉદ્દેશો - સંયમમાં સ્થિર રહેવું. EX
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy