SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગસૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ વિષયાનુક્રમણિકા પહેલું અધ્યયન શસ્ત્રપરિજ્ઞા - જીવોની હિંસાના કારણને શસ્ત્ર કહે છે. તેના બે ભેદ - દ્રવ્યશસ્ત્ર, ભાવશસ્ત્ર, તલવાર આદિ દ્રવ્યશસ્ત્ર અશુભયોગ ભાવશસ્ત્ર. આ અધ્યયનમાં ભાવશસ્ત્રોની જાણકારી છે. ૧-ન્ન પરિશા એટલે અશુભ યોગ આદિ કર્મબંધનના કારણ જાણવા, ૨-પ્રત્યાખ્યાન પરિજ્ઞા - એટલે કર્મબંધનના કારણો જાણીને તેનો ત્યાગ કરવો. પ્રથમ અધ્યયનના સાત ઉદ્દેશા... અધ્યયયનમાં આવતા નવીન વિષયના પ્રારંભને ઉદ્દેશા કહેવાય છે. ૧ ઉદ્દેશો - આ આત્મા કઈ દિશામાંથી આવ્યો તેનો વિચાર ૨ ઉદ્દેશો - પૃથ્વીકાયની હિંસાથી અટકવું, તેનો ઉપદેશ, પૃથ્વીકાયના દુઃખોના અનુભવ બતાવવા જન્મથી અંધ તથા બહેરાનું દૃષ્ટાંત. ૩ ઉદ્દેશો - અકાયની હિંસાથી અટકવું, ઉપદેશ ૪ ઉદ્દેશો - અગ્નિકાયની હિંસાથી અટકવું, ઉપદેશ ૫ ઉદ્દેશો - વનસ્પતિકાયની હિંસાથી અટકવું, ઉપદેશ, મનુષ્યના શરીરની સાથે વનસ્પતિની સમાનતા, વનસ્પતિમાં જીવ છે તેને સિધ્ધ કરવાની યુક્તિ. ૬ ઉદ્દેશો - ત્રસકાય જીવોની હિંસાથી અટકવા. ઉપદેશ ત્રસ જીવોની હિંસાના વિવિધ કારણો. ૭ ઉદ્દેશો - વાયુકાયના જીવોની હિંસાથી અટકવા ઉપદેશ બીજું અધ્યયન - લોકવિજય - સંસાર અને તેના કારણો પર વિજય પ્રાપ્ત કરવો, આ અધ્યયનમાં ૬ ઉદ્દેશ .... ૧ ઉદ્દેશો - માતાપિતા આદિ બાહ્યસંયોગોનો ત્યાગ કરીને મુનિએ દૃઢતાની સાથે સંયમપાલન કરવું જોઈયે.
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy