________________
१३. तवो अ
-
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
તપ કરો.
તપની21 વ્યાખ્યા કરતાં મહામહોપાધ્યાયશ્રીજીએ જણાવ્યું છે કે,
“ઈચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે, તપ તેહી જ આતમા, વર્તે નિજગુણ ભોગે રે...”
૮૫
તપનો મુખ્ય અર્થ છે ઇચ્છાનો રોધ. અનુચિત ઇચ્છાઓને નિયંત્રણમાં રાખીને સમતા ભાવમાં ચિત્તને જોડવું તેનું જ નામ તપ છે. ઇચ્છા જ સર્વદુઃખનું મૂળ છે. ઇચ્છા જ મમતાદિ દુષ્ટભાવનું કારણ છે. મનમાં નિરંકુશ વધતી જતી ઇચ્છાઓ જ આત્મશુદ્ધિ માટે અવરોધક બને છે. માટે આત્મિક સુખને ઇચ્છતા સાધકે આહારાદિમાં નિરંતર પ્રવર્તતી ઇચ્છાને અંકુશમાં લેવા છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અત્યંતર તપમાં21 પ્રવૃત્ત થવું જોઈએ. શાસ્ત્રકારે બતાવેલા બાર પ્રકારના તપથી ઇચ્છાઓ અને દરેક પ્રકાર્ના કષાયો નિયંત્રિત થાય છે. કાયાની શિથિલતા દૂર થાય છે અને ચિત્ત સંક્લેશમુક્ત બને છે. કહેવાય છે કે, તપસા નિર્ઝરા તપથી પૂર્વસંચિત કર્મની નિર્જરા થાય છે. તેમજ તપથી પુણ્યનો બંધ થાય છે. તપથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તપથી સંવર થાય છે અને તપ દ્વારા રિદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિની સાથે છેક મુક્તિ સુધી પહોંચી શકાય છે.
આથી જ સૂત્રકાર મહર્ષિ કર્મક્ષયેચ્છુ શ્રાવકોને કહે છે, “તમો અનશન આદિ બાહ્યતપનો સ્વીકાર કરો, તેનાથી તમારી ઇન્દ્રિયો કાબૂમાં આવશે, તમારી ઇચ્છાઓ અંકુશમાં રહેશે અને પરિણામે તમે આત્મભાવમાં સ્થિર થઈ શકશો. બાહ્યતપની જેમ પ્રાયશ્ચિત આદિ અત્યંતર તપ માટે પણ પ્રયત્ન કરો. આ તપ વિશેષ પ્રકારે આત્મોન્નતિમાં ઉપકારક બને તેવો છે. શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત્ત કરતાં મૃગાવતીજી આદિ ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામી ગયા. મોક્ષમાં જવા, સૌએ અત્યંતર તપ તો અચૂક કરવો જ પડે છે, માટે તમો સૌ પણ આ તપ માટે સવિશેષ પ્રયત્ન કરો.”
પ્રસંગોમાં સ્ત્રી-પુરુષો સાથે મળી નાચે-કૂદે છે, ખિલ-ખિલાટ હસે છે, ઊભા-ઊભા ખાયપીએ છે કે નિરર્થક ગપ્પા મારે છે, આવો વ્યવહાર શ્રાવક માટે ઉચિત નથી.
6. મધુરનીત્યા જાર્યસાધનમ્ - મધુર વાણીથી કાર્ય સાધવું. ક્યારેય કોઈની સાથે કાર્ય લેવું પડે ત્યારે મીઠી વાણીથી કાર્ય લેવું. આવેશમાં આવી ઉગ્ર સ્વરે ક્યારેય કોઈની સાથે વ્યવહાર ન કરવો, જેનાથી કોઈને અપ્રીતિ થાય.
21. બાર પ્રકારના તપ માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૩ નામિ સૂત્ર