________________
સૂત્ર સંવેદના
શીલવ્રતને પાળી શકશો. બોલવા, ચાલવા, ખાવા-પીવામાં જો તમે ચૂકી જશો તો આ વ્રત મલિન બન્યા વિના નહિ રહે. માટે મન-વચન-કાયાથી વ્રતની નિર્મળતાને ટકાવવા ઉપરોક્ત સર્વ બાબતોને ખાસ ધ્યાનમાં લો.
નવવાડ પૂર્વક સુંદર શીલધર્મનું જો પાલન કરશો તો સીતા, અંજના, દમયંતી આદિ મહાસતીની જેમ તમે પણ આ ભવમાં યશ-કીર્તિને પામી ભવની પરંપરાને સુધારી મોક્ષ સુધી પહોંચી શકશો.”
આ વિષયમાં ધ્યાનમાં રાખવું કે, શરીર સારું રાખવા કે આલોક-પરલોકનું સુખ પામવા શીલ પાળવાનું નથી, પરંતુ વિષય-કષાયની વૃત્તિઓનું શમન કરી સત્ત્વની વૃદ્ધિ કરી આત્મભાવ સુધી પહોંચવા શીલનું પાલન કરવાનું છે. આ
20. ધર્મરત્નપ્રકરણ વગેરે ગ્રંથોમાં નીચે મુજબ શીલપાલનમાં ઉપયોગી બાબતો વર્ણવી છે. 1. ગાયતનિષેવ - આયતન એટલે સ્થાન અને નિસેવન એટલે સેવવું.શ્રાવકે એવા સ્થાનમાં
રહેવું જોઈએ કે, જ્યાં રહેવાથી ધર્મભાવની વૃદ્ધિ થાય.ઔદાર્યાદિ ગુણોનો વિકાસ થાય. તેથી જ્યાં જિનમંદિર, ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનોનજીકમાં હોય, આજુબાજુમાં સાધર્મિકોનો વસવાટ હોય, તેવા સ્થાનમાં શ્રાવકે રહેવું જોઈએ. આવા સ્થાનમાં રહેવાથી સદ્ગુરુ ભગવંતોનો તથા સાધર્મિકોનો સતત સહવાસ રહે છે. જેના પરિણામે દોષનાશ અને ગુણવૃદ્ધિનું કારણ બને તેવા ધર્મશાસ્ત્રનું શ્રવણ તથા ધાર્મિક ચર્ચાઓના સહભાગી બનાય છે. આના ઉપરથી એ પણ ખાસ સમજવું કે, જ્યાં જિનમંદિર આદિ નજીકમાં ન હોય, પાડોશી વર્ગ સુયોગ્ય ન હોય, ત્યાં શ્રાવકે વસવું ન જોઈએ કે, જેથી પોતાના સુસંસ્કારોને
આંચ ન આવે અને ક્યારે પણ કુસંસ્કારોના ભોગ બની ન જવાય. 2. ગૃહપ્રવેશવર્નનમ્ - અનિવાર્ય કારણ સિવાય શ્રાવકે પારકા ઘરમાં ક્યારેય એકલાએ
પ્રવેશ કરવો નહિ. કેમ કે, તેમાં ઘણા અનર્થોની સંભાવના રહે છે. 3. અનુમટવેષ - જોતાં જ લજ્જા થાય, વિકૃતભાવ પેદા થાય, શરીરના અંગનું સ્પષ્ટ દર્શન થાય તેવા પાતળા, ટૂંકા વસ્ત્રાદિ પરિધાન કરવા તે ઉભટ વેષ છે. આવા વેષનું પરિધાન શ્રાવક માટે યોગ્ય નથી. શ્રાવકે તો પોતાના કુળ અને વૈભવને છાજે તેવા, દરેક પ્રકારે મર્યાદાનું પૂર્ણ પાલન થાય તેવા સાદા, સુઘડ વસ્ત્ર, અલંકારનું પરિધાન કરવું જોઈએ. જેનાથી સ્વ-પર કોઈની રાગાદિની માત્રા વધે નહિ અને પોતાના તરફ કોઈને
ખોટું આકર્ષણ થાય નહિ. 4. સવIRવનિવર્નનમ્ - જે વચનો દ્વારા સ્વ-પર કોઈને વિકાર ઉત્પન્ન થાય તેવી વાણી
શ્રાવકે ક્યારેય ન ઉચ્ચારવી. 5. વાસ્ક્રીડાપરવર્નનમ્ - અજ્ઞાની જીવો જે પ્રવૃત્તિ કરે છે તેનો ત્યાગ કરવો જોઈએ. બાલ
એટલે અજ્ઞાની જીવો જે નિરર્થક હસવાની, બોલવાની, નાચવા-કૂદવાની કે ખાવાપીવાની પ્રવૃત્તિ કરે છે, તેવી પ્રવૃત્તિ શ્રાવકે ક્યારેય ન કરવી જોઈએ. વર્તમાનમાં જાહેર