________________
“મનહ જિણાણું-સઝાય”
પૌષધવ્રત સ્વીકારી શકતો નથી. આમ છતાં પોતાની ભાવનાને સાકાર કરવા જો તે પર્વતિથિએ પણ પૌષધ સ્વીકારે, તો તેના ચારિત્રમાં વિદ્ગભૂત બનનારા કર્મનો ક્ષય થાય અને તેને સંયમજીવનની આંશિક તાલીમ મળે છે.
આથી જ સક્ઝાયકાર મહર્ષિ સંયમ અભિલાષ શ્રાવકોને કહે છે કે, “તમે નિત્ય પૌષધ ન સ્વીકારી શકો તો પણ તમે પર્વતિથિએ તો અવશ્ય પૌષધવ્રતનો સ્વીકાર કરો. પૌષધમાં દેશથી કે, સર્વથી આહારનો ત્યાગ કરી, તમે તમારા અણાહારી સ્વભાવનું સ્મરણ કરો. શરીરસત્કારનો સર્વથા ત્યાગ કરી, પોતાના શરીર પ્રત્યેનો મોહ અને સૌંદર્યના આકર્ષણનો ત્યાગ કરી આત્મરત બનવા પ્રયત્ન કરો. સર્વ પ્રકારના સાંસારિક વ્યવહારનો ત્યાગ કરી, સ્વાધ્યાય, ધ્યાન આદિમાં લીન થાઓ અને મૈથુનનો સર્વથા ત્યાગ કરી, તમે નિર્મળ બ્રહ્મચર્યના પાલન દ્વારા શુદ્ધ બ્રહ્મ સુધી પહોંચવા યત્ન કરો. આ રીતે યત્ન કરશો તો એક દિવસ જરૂર તમે તમારા શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચી શકશો. વળી પૌષધ વ્રત સાથે સ્વીકારેલી સામાયિકની પ્રતિજ્ઞાનું પાલન કરવા તમે સમભાવમાં રહેવા પ્રયત્નશીલ બનો અને સમિતિ-ગુપ્તિ સ્વરૂપ અષ્ટ-પ્રવચન માતાનું પણ વિશેષ સાવધાનીપૂર્વક પાલન . કરો કે, જેથી તમારા માટે ભાવપૂર્ણ સંયમ જીવન સુલભ બને”
અહીં એટલું ધ્યાનમાં રાખવું કે પૌષધ એક મહાન અનુષ્ઠાન છે. તેને માત્ર દેખાદેખી અને લોકનિંદાના ભયથી ન કરવો તેમ જ “કરીશ તો પ્રભાવના મળશે, અનેક લોકોનો સંપર્ક થશે, નવું નવું જોવા જાણવા મળશે...' વગેરે મલિન ભાવોથી ગતાનુગતિકપણે પણ ન કરવો; પરંતુ એક માત્ર “સંયમભાવનાને પુષ્ટ કરી, શીધ્ર આત્મકલ્યાણ સાધું,' એવી શુભ ભાવનાથી પૌષધ કરી તેનું અણિશુદ્ધ પાલન કરવાનો આગ્રહ રાખવો.
૨૨. તા : દાન આપો.
સ્વ કે પરને ઉપકાર કરવા માટે પોતાની માલિકીની વસ્તુ અન્યને આપવી તેનું નામ દાન છે. આવા દાનના અભયદાન, જ્ઞાનદાન, સુપાત્રદાન આદિ ઘણા પ્રકારો છે. તેમાં પરિગ્રહના પંકથી (કીચડથી) ખરડાયેલા શ્રાવકો માટે સુપાત્રદાન વધુ મહત્ત્વનું છે. પુણ્યયોગે જે ધનાદિ સંપત્તિ મળી હોય, તેનું યોગ્ય સ્થાનમાં વિતરણ કરવાથી ધનની મૂર્છા એટલે કે ધન પ્રત્યેની આસક્તિ અને મમત્વભાવ 17. મનુદીર્થ સ્વાસ્થતિસ રાનમ્ II૭-૩૪ના
- तत्त्वार्थ સુપાત્રદાનની વિધિ માટે જુઓ સૂત્રસંવેદના ભા-૪ બારમું વ્રત