________________
સૂત્ર સંવેદના
નાનાં પચ્ચખ્ખાણો કરી આત્માને પાપ પ્રવૃત્તિથી બચાવો કેમ કે, પ્રતિજ્ઞા વિના પાપપ્રવૃત્તિથી અટકવું શક્ય બનતું નથી. વળી પ્રવૃત્તિ થાય કે ન થાય તોપણ વિચારાત્મક જાગૃત મનમાં કે સુષુપ્ત મનમાં જ્યાં સુધી આહારાદિની ઇચ્છાઓ પ્રવર્તે છે, ત્યાં સુધી તે કર્મબંધ કરાવ્યા વિના નથી રહેતી. આથી જ તમારે પ્રમાદનો ત્યાગ કરી, સર્વ કેળવી, મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં લઈ પચ્ચખ્ખાણ દ્વારા એવો દૃઢ સંકલ્પ કરવો જોઈએ કે, અંતરના ઊંડાણમાંથી પણ આત્મહિતમાં અવરોધક હોય એવા કુસંસ્કારો દૂર થાય.”
અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે, છએ આવશ્યક શ્રાવકે માત્ર દ્રવ્યથી નહિ. પરંતુ ભાવપૂર્વક, વિધિ આદિ જાળવીને કરવા જોઈએ. ગાથા: पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो अभावो अ ।
સલ્ફા-નકુચારો, પરોવચારો નયા પારો અન્વય સહિત સંસ્કૃત છાયા पर्वसु पौषधव्रतं, दानं शीलं तपश्च भावश्च ।
स्वाध्याय-नमस्कारः, परोपकारश्च यतना च ।।२।। ગાથાર્થ
પર્વોમાં પૌષધવ્રત, દાન, શીલ, તપ અને ભાવના; સ્વાધ્યાય, નમસ્કાર, પરોપકાર અને જયણા (શ્રાવકજીવનનાં આવાં કર્તવ્યો નિત્ય સદ્ગુરુના ઉપદેશથી સેવવાં જોઈએ.) વિશેષાર્થ :
૨૦. પબ્રેસ પોસહવયં: પર્વ દિવસોમાં પૌષધવ્રત ધારણ કરો.
સર્વ પ્રકારના પાપવ્યાપારનો ત્યાગ કરી ધર્મના પોષણ માટે ચાર પ્રહર કે આઠ પ્રહર માટે સામાયિકપૂર્વકનું જે અનુષ્ઠાન કરાય છે, તેને પૌષધવ્રત કહેવાય છે.
સાચો શ્રાવક સદા સંપૂર્ણ વિરતિમય જીવન જીવવા ઝંખતો હોય છે, પરંતુ સત્ત્વના અભાવે કે સંયોગાદિની પ્રતિકૂળતાને કારણે તે સદા માટે સામાયિક છે, 16. પૌષધવ્રતની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભા-૪ વંદિતું સૂત્ર અગીયારમું વ્રત તથા
આ જ ભાગમાં આપેલી પૌષધની વિધિ આદિ