________________
“મન્નાહ જિણાણું-સજ્જાય”
૭પ
ભાવ સાચા અર્થમાં જાગૃત થશે. દયાનો પરિણામ પ્રાપ્ત થતાં, જે સંસાર સ્વ-પરની હિંસા વિના ચાલતો જ નથી, તે સંસારથી ભાગી છૂટવારૂપ નિર્વેદનો ભાવ જાગૃત થશે. તેનાથી જ્યાં સંપૂર્ણ હિંસા વિના, કોઈને દુઃખ આપ્યા વિના અનંતકાલ સુધી રહી શકાય છે તેવા શિવસુખની લગનરૂપ સંવેગનો ભાવ ઉત્પન્ન થશે અને આ શિવસુખ મેળવવા તેના ઉપાયરૂપ સમભાવ તમારા માટે સહજ બનશે.”
સમ્યકત્વ પ્રગટાવવાની ઇચ્છા ધરાવનારે એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે સમ્યક્ત્વ વ્રત ઉચરી લેવા માત્રથી કે વિચાર્યા વિના માત્ર લૌકિક હેતુથી સુદેવ-સુગુરુસુધર્મને સ્વીકારી લેવાથી પણ સમ્યગ્દર્શન ગુણ પ્રગટતો નથી. તેને પ્રગટાવવા માટે તો હૈયાનો ઢાળ બદલવો પડશે, માન્યતાઓને જડમૂળથી પરિવર્તન કરવું પડશે, આ જ મારા ઉદ્ધારક છૅ એવી બુદ્ધિથી દેવને, ગુરુને અને ધર્મને સ્વીકારવા પડશે, તેમના વચનો ઉપર અવિહડ શ્રદ્ધા કેળવવી પડશે અને શંકા, કાંક્ષા આદિ દોષોથી દૂર રહેવું પડશે.
૪-૨. છત્રિ-વિસ્ફષિ ૩જુત્તા (તો) હોદ () પરિવર્સ - તમે સામાયિકાદિ છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિવસ ઉદ્યમવંત
થાઓ.
અવશ્ય કરવા યોગ્ય જે કાર્ય છે તેને આવશ્યક કહેવાય છે. તેના છ પ્રકાર છે. (૧) સામાયિક (૨) ચઉવિસત્થી (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ (૯) પચ્ચખાણ.
૪. સામાયિક:
જે ક્રિયાથી સમતાનો લાભ થાય તેને સામાયિક કહેવાય છે. આ સામાયિક સર્વવિરતિરૂ૫ અને દેશવિરતિરૂપ એમ બે પ્રકારનું છે. આ બંને પ્રકારનું સામાયિક સમતાદિ ભાવો પ્રાપ્ત કરાવી આત્માને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે. સામાયિકના માહાભ્યનું વર્ણન કેવલિ ભગવંતો સિવાય કોઈ કરી શકે તેમ નથી અને જ્યાં સુધી કર્મની લઘુતા ન થાય ત્યાં સુધી “સામાયિક'નું અનુષ્ઠાન સમજાય તેવું પણ નથી. કદાચ સમજાય તો પણ તેના ભાવ સુધી પહોંચવું તો અતિ કપરું છે.
આ જ કારણથી સાયકાર મહર્ષિ મોક્ષેચ્છુ શ્રાવકોને બોધ આપતાં કહે છે કે, 8. આવશ્યકની સમજ સૂત્ર સંવેદના ભાગ-૪ માં ભૂમિકા તથા ગાથા નં. ૪૧માં મળશે
સામાયિકની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૧ “કરેમિભંતે સૂત્ર' તેમજ સૂત્ર સંવેદના ભાગ-૪ વંદિત્ત સૂત્રનું શું વ્રત.