________________
૫૬
સૂત્ર સંવેદના-૬
‘હે ભગવંત ! હું આજના દિવક્સમાં મૈથુન ક્રિયાનો તો સર્વથા ત્યાગ કરું છું. વિજાતીય સાથેના સંબંધનો તો હું ત્યાગ કરીશ જ પણ સાથે સાથે કોઈપણ પ્રકારના વિષયોમાં મારું મન ન જાય તેવો પણ ખ્યાલ રાખવા પ્રયત્ન કરીશ. આજના દિવસે હું આપે બતાવેલી શુભ ક્રિયાઓમાં એવી રીતે પ્રવૃત્ત રહીશ કે મને વિષયોથી વિક્તિ અને આત્મભાવમાં તિ પ્રાપ્ત થાય.'
અવાવાર-પોસદું સત્વો - (હું) સર્વથી અવ્યાપાર પૌષધ (કરું છું.) અવ્યાપાર એટલે ન-વ્યાપાર, પરંતુ અહીં વ્યાપાર ન કરવો એટલે વ્યાપારનો સર્વથા ત્યાગ કરવો તેવો અર્થ નથી કરવાનો; પરંતુ અહીં વ્યાપાર ન કરવો એટલે કુત્સિત, ખરાબ, પાપ બંધાવે તેવા વ્યાપારના ત્યાગને દર્શાવવા માટે ‘ન' અવ્યય વપરાયો છે. તેથી અશુભ, હિંસામય કે પાપમય પ્રવૃત્તિના ત્યાગરૂપ જે પૌષધ તે ‘અવ્યાપાર પૌષધ.’
આત્માનું શુદ્ધ સ્વરૂપ બાહ્ય ક્રિયાથી સંપૂર્ણપણે મુક્ત અવસ્થારૂપ છે તેથી તેની પ્રાપ્તિના ઉપાયરૂપે જે પણ અનુષ્ઠાન કરાય તે અક્રિયભાવ પામવા કરવું જોઈએ. અનાદિકાળથી વ્યાપાર કરવા જ ટેવાયેલો સાધક એક ધડાકે સર્વથા ક્રિયાથી મુક્ત થઈ શકતો નથી. તેથી જ પરમાત્માએ તેને પ્રારંભમાં અશુભ ક્રિયાઓથી મુક્ત થઈ શુભ ક્રિયાઓને અપનાવવારૂપ પૌષધનો વિકલ્પ સૂચવ્યો છે. તેને સફળ કરવા સાધકે પૌષધ દરમ્યાન પોતાના લક્ષ્યને અનુરૂપ મનવચન-કાયાથી સંસારના સર્વ પાપમય વ્યવહારોને તજવા જોઈએ.
અવ્યાપાર પૌષધની પ્રતિજ્ઞાં કરતાં શ્રાવક સંકલ્પ કરે છે કે,
*આજના દિવસમાં હું મન-વચન-કાયાથી ૨૮ પૈકી કોઈપણ પાપ સેવાય તેવો વ્યવહાર નહીં કરું. મારી પ્રતિજ્ઞામાં કોઈ દોષ ન લાગે તે માટે હું સ્વજનો સાથે રાગાદિ ઉત્પન્ન થાય તેવી રીતે બોલીશ નહીં, ઘર કે ધંધા સંબંધી કોઈ વિચાર કરીશ નહીં, તે સંબંધી કોઈને કોઈ આદેશ આપીશ નહીં. આજે હું અત્યંત સાવચેત બની ધ્યાન રાખીશ કે સંસારની વૃદ્ધિ થાય તેવું કોઈ વર્તન મારાથી ન થાય.'
અવ્યાપાર પૌષધમાં અમુક = કોઈ એક અથવા વધારે કુવ્યાપારને તજવો
9. न व्यापारः अव्यापारः तन्निमित्तं पौषधः अव्यापारपौषधः .