________________
४८
સૂત્ર સંવેદના-૬
જ્યારે પૌષધમાં સમયની મર્યાદા લાંબી હોવાથી આવા ભેદ પાડી પ્રતિજ્ઞા લેવાતી હશે તેમ લાગે છે અથવા પૂર્વકાળમાં આ ચારે પ્રકારના પૌષધ અલગ અલગ પણ લેવાતા હતા તેથી પૌષધની પ્રતિજ્ઞાનો આવો પાઠ હશે. વર્તમાનમાં તો આ ચારે પૌષધ સાથે જ લેવાય છે અને તેમાં પણ આહારપૌષધ સિવાયના ત્રણે પૌષધ તો સર્વથી જ લેવાય છે. વળી, અત્યારે તો પૌષધમાં સુસ્થિત થઈ શકાય, તે માટે ગીતાર્થ ગુરુભગવંતોએ સામાયિકપૂર્વક જ કોઈપણ પૌષધ કરવાનું વિધાન કર્યું છે. - પૌષધની પ્રતિજ્ઞાને સમજવા માટે સૌ પ્રથમ પૌષધ શું છે તે સમજવું પડે. આ સૂત્રમાં પૌષધની પ્રતિજ્ઞા, પૌષધના પ્રકારો, પૌષધની મર્યાદા, પૌષધનું પચ્ચખાણ કેટલા કોટિનું છે વગેરે બાબતો જણાવી છે. તેનો મૂળ પાઠ આવશ્યકસૂત્રના પ્રથમ અધ્યયનમાં આવેલા કરેમિ ભંતે સૂત્ર પરથી યોજાયેલો છે અને અત્રે પ્રસ્તુત કરેલી અર્થની સંકલનાનો આધાર ધર્મસંગ્રહ વગેરે ગ્રન્યો છે, તેનો વિસ્તૃત અર્થ સૂત્ર સંવેદના ભાગ-૧ માં કરેમિ ભંતે સૂત્રમાં કરેલ છે. તેથી અભ્યાસુએ ત્યાંથી પણ જોવા ભલામણ.
મૂળ સૂત્રઃ
करेमि भंते ! पोसहं, आहार-पोसहं देसओ सव्वओ, . शरीर-सक्कार-पोसहं सव्वओ, बंभचेर पोसहं सव्वओ, अव्वावार-पोसहं सव्वओ, चउव्विहं पोसहं ठामि जाव दिवसं (जाव अहोरतं) पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि, न कारवेमि । तस्स भंते ! पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि ।। અન્વય સહિત સંસ્કૃત છાયા : भदन्त ! पौषधं करोमि મહાર-પૌષધં શતઃ સર્વત:, शरीर-सत्कार-पौषधं सर्वतः,