________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ - હેતુઓ સહિત
તેઓ બે ખમાસમણ દઈને બહુવેલના આદેશ દ્વારા તે તે લઘુકાર્ય સંબંધી શ્રી ગુરુ મહારાજની અનુમતિ મેળવી રાખે છે. ત્યારબાદ શ્રાવકો અઢી દ્વીપમાં રહેલા સર્વ સાધુભગવંતોને વંદન કરવા ‘અઠ્ઠાઈજ્જેસુ' સૂત્ર બોલે છે. તે પણ મંગલાર્થે જ બોલાય છે.
૪૩
૧૫. શ્રી સીમંધરસ્વામીનું તથા શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન :
૧. પછી શ્રી સીમંધરસ્વામીના દુહા બોલી એક પછી એક ત્રણ ખમાસમણ દઈને શ્રી સીમંધરસ્વામીનું ચૈવંદન, ‘જંકિંચિ’, ‘નમોડસ્થુ ણં’, ‘જાવંતિ ચેઇઆઇ', ‘જાવંત કે વિ સાહુ', શ્રી સીમંધરસ્વામીનું સ્તવન, ‘જયવીયરાય' બોલી ઊભા થઈ ‘અરિહંતચેઈઆણં', ‘અન્નત્થ' બોલી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી શ્રી સીમંધરસ્વામીની થોય કહેવી.
૨. પછી તે જ રીતે શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરવું. તેમા દુહા, ચૈત્યવંદન, સ્તવન અને થોય શ્રી સિદ્ધાચલજીના કહેવા.
વર્તમાનમાં સામાચારી પ્રમાણે પરંપરાથી (સામાયિકનો બે ઘડીનો કાળ પૂર્ણ કરવા માટે) વિશેષ માંગલિક અર્થે સીમંધર સ્વામીનું અને શત્રુંજયનું ચૈત્યવંદન કરવામાં આવે છે.
૧૭. સામાયિક પારવું :
૧. પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું.
આનો હેતુ પૂર્વમાં જણાવ્યો છે.
પ્રતિક્રમણની આ ક્રિયા તે કોઈ જડ ક્રિયા નથી કે માત્ર કાયાની કવાયત પણ નથી. આ તો શ્રેષ્ઠ યોગ સાધના છે. વિશિષ્ટ આધ્યાત્મિક ક્રિયા છે. હા ! તે માટે મન, વચન, કાયાના સહકારની જરૂર અવશ્ય પડે છે, પરંતુ તેનો પણ ઉપયોગ યથા તથા નથી કરવાનો; ભગવાનના વચન અનુસારે ક૨વાનો છે. શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ આસન કે મુદ્રામાં કાયાને સ્થિર કરવાથી, ગણધર રચિત સૂત્રોની સંપદાદિ જાળવવાથી અને મનને અર્થ ચિંતનમાં એકાગ્ર કરવાથી અશુભ ભાવમાં જતા મન-વચન-કાયાનો નિરોધ