________________
સૂત્ર સંવેદના-૬
થાય છે, શુભભાવો સહજ પ્રગટે છે, તેનાથી આંતરિક પરિણામ નિર્મલ બને છે, પરિણામે આ ક્રિયાથી આત્મા પોતાના નિર્વિકારી સહજ સુખને પામી શકે છે. માટે આ ક્રિયા જડ નહિ પરંતુ ચેતનવંતી છે. તેનાથી વર્તમાનમાં પણ આત્માને વિશિષ્ટ ફાયદા થાય છે. પણ... આ ક્રિયાને ભગવાને જે રીતે કરવાનું કહ્યું છે તે રીતે કરવામાં આવે તો આ ફાયદા જરૂર થાય છે. બાકી વિચાર્યા વિના ગાડરીયા પ્રવાહની જેમ આ ક્રિયા કરવાથી કોઈ વિશેષ ફાયદો થઈ શકતો નથી.