________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ
હેતુઓ સહિત
સાધુભગવંતોને વંદના ક૨વામાં આવે છે અને ત્યાર પછી પચ્ચક્ખાણ કરવામાં આવે છે. એનું કારણ એવું હોઈ શકે કે, પચ્ચક્ખાણની પવિત્ર ક્રિયા કરતા પૂર્વે ગુરુવંદનની જેમ દેવવંદન સ્વરૂપ તીર્થવંદન કરવાથી વિશેષ શક્તિનો સંચય થાય છે, તેથી ગીતાર્થ ગુરુભગવંતોએ આવી ગોઠવણ કરી હશે. છતાં તેનું વિશેષ કા૨ણ વિદ્વાનો વિચારે...
૪૧
પચ્ચક્ખાણ આવશ્યક પૂર્ણ કર્યા પછી, ગુરુભગવંતની આજ્ઞાથી આવશ્યક (પ્રતિક્રમણ) કરનારો શ્રાવક ‘મે આપની આજ્ઞાથી આ પ્રમાણે પ્રતિક્રમણ કર્યું છે' એમ ગુરુને જણાવવા માટે ‘સામાયિક, ચવિસત્થો, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી' એમ કહી છ આવશ્યકની પૂર્ણતા ગુરુ ભગવંતને જણાવે છે.
૧૩. મંગળસ્તુતિ :
૧. પછી ‘ઇચ્છામો અણુસર્ફિં' એમ કહી, બેસીને ‘નમો ખમાસમણાણં', ‘નમોઽર્હત૦’ ઇત્યાદિ કહી ‘વિશાલ લોચન' બોલવું. સ્ત્રીઓએ ‘સંસાર દાવાનલ'ની ત્રણ ગાંથા બોલવી.
પ્રતિક્રમણની ક્રિયા પૂર્ણ કર્યા પછી શ્રાવક પોતાના સંસારના કાર્યોમાં અને સાધુભગવંતો સંયમના અન્ય યોગોમાં જોડાય છે. આ કાર્યો કરતાં પ્રમાદાદિને કારણે પુનઃ દોષોનું સેવન ન થઈ જાય તેવી જાગૃતિ રાખવા માટે શું કરવું જોઈએ ? એવી પોતાની જિજ્ઞાસા સંતોષવા તે ગુરુભગવંત પાસે ‘હું અનુશાસ્તિ ઇચ્છું છું' એમ કહેવા દ્વારા હિતશિક્ષાની માગણી કરે છે. ત્યાર પછી છયે આવશ્યક પૂરાં થયાનો હર્ષ જણાવવા માટે અતિ મંદ સ્વરે ભાઈઓ વિશાલલોચનદલં અને બહેનો સંસા૨દાવાની ત્રણ ગાથા બોલે.
જિજ્ઞાસા : દૈવસિક પ્રતિક્રમણમાં આ ઉચ્ચ સ્વરે બોલવાનું હતું. અહીં મંદ સ્વરે બોલવાનું કારણ શું ?
તૃપ્તિ ઃ રાત્રિમાં મોટેથી બોલવાથી ગરોળી વગેરે હિંસક પ્રાણીઓ જાગૃત થઈને હિંસાદિ પાપ કરે, માટે કોઈના પણ પાપનું નિમિત્ત પોતે ન બની જાય તે ઉદ્દેશથી