SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિક પ્રતિક્રમણની વિધિ - હેતુઓ સહિત ૩૯ જીવ ! પરમાત્મા મહાવીર સ્વામીએ ઉત્કૃષ્ટ તપ છ મહિનાનો કર્યો તો તું તે કરીશ ?” ઉત્તર સ્વરૂપે વિચારવું કે, ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી, પછી ૫ દિવસ ન્યૂન છ માસી તપ કરીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી તે રીતે આગળ ૧૦ જૂન, ૧૫ જૂન, ૨૦ જૂન, ૨૫ જૂન છ માસી તપ કરીશ. એમ દરેક વખતે ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી એમ ચિંતવવું. પછી ૫ માસી તપ કરીશ ? ૫ જૂન, ૧૦ જૂન, ૧૫ જૂન, ૨૦ જૂન, ૨૫ જૂન પછી ૪ માસી એ પ્રમાણે ઉતરતા ત્રણ માસી, બે માસી યાવત્ ૧ માસી તપ કરીશ ? ભાવના છે, શક્તિ નથી. પરિણામ નથી એમ ચિંતવવું. પછી ૧ જૂન માસી તપ કરીશ ? ભાવના છે, શક્તિ નથી. પરિણામ નથી એ પ્રમાણે ૨ ન્યૂન, ૩ જૂન યાવતું, ૧૩ જૂન પછી ૩૪ ભક્ત કરીશ, ૩ર ભક્ત, ૩૦ ભક્ત યાવત્ અઠ્ઠમ, છઠ્ઠ, ચઉત્થભક્ત, ઉપવાસ, આયંબિલ, નીવી, એકાસણું, બિયાસણું, અવઢ, પુરિમુઢ, સાઢ પોરિસી, પોરિસી, નવકારશી સુધી ચિંતવવું. જે તપ કરેલો હોય, પણ આજે કરવાનો ન હોય ત્યાંથી ભાવના છે, શક્તિ છે, પરિણામ નથી એમ ચિંતવવું ? અને જે તપ આજે કરવાનો હોય ત્યાં ભાવના છે, શક્તિ છે, પરિણામ છે15 એમ ચિંતવવું. પછી કાઉસ્સગ્ગ પારવો. 15. તપ ચિંતવન કાઉસ્સગ્નની અન્ય પદ્ધતિ આ પ્રમાણે છે : “શ્રી વીરભગવાને છ માસનો * ઉત્કૃષ્ટ તપ કર્યો હતો. હે જીવ! તું તે તપ કરીશ? મનમાં જાતને આવો પ્રશ્ન પૂછી ઉતર ચિંતવવો કે તેવી શક્તિ નથી અને પરિણામ નથી. પછી અનુક્રમે એક એક ઉપવાસ ઓછો કરીને વિચાર કરવો. એમ કરતાં પાંચ માસ સુધી આવવું. પછી એક એક માસ ઓછો કરીને વિચાર કરવો અને એક માસ સુધી આવવું, પછી એક દિન ઉણ માસખમણ એમ તેર દિવસ ન્યૂન સુધી એટલે સત્તર ઉપવાસનો વિચાર કરવો. (અથવા પછી ૨૯ ઉપવાસ કરીશ ? ૨૮ ઉપવાસ કરીશ ? એમ એક ઉપવાસ ઘટાડતાં ૧૭ ઉપવાસ કરીશ ? ત્યાં સુધીનો ઉત્તર ચિંતવવો) પછી હે ચેતન ! તું ૩૪ ભક્ત (૧૬ ઉપવાસ) કરીશ? ૩૨ ભક્ત કરીશ? ૩૦ ભક્ત કરીશ? એમ બે-બે ભક્ત ઓછા કરતા ચોથભક્ત (ઉપવાસ) સુધી વિચાર કરવો. અને તેવી શક્તિ પણ ન હોય તો અનુક્રમે આયંબિલ, નિવી, એકાસણ, બિયાસણ, અવરૃઢ, પરિમુઢ, સાડૂઢપોરિસી, પોરિસી, નવકારસી સુધીનો વિચાર કરવો. તેમાં જ્યાં સુધી કરવાની શક્તિ હોય એટલે કે તે તપ કરી જોયો હોય તેટલું પચ્ચખાણ એક સાથે લીધું હોય) ત્યારથી એમ વિચાર કરવો કે, “શક્તિ છે, પણ પરિણામ નથી' પછી ત્યાંથી ઘટતાં ઘટતાં જે પચ્ચકખાણ કરવું હોય, ત્યાં આવીને અટકવું અને શક્તિ પણ છે અને પરિણામ પણ છે' એ પ્રમાણે વિચાર કરી મનમાં નિશ્ચય ધારણ કરીને કાઉસ્સગ્ગ
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy