________________
૩૬
સૂત્ર સંવેદના-૬
રાત્રિ દરમ્યાન પોતાને જે દોષો લાગ્યા હોય તેનું સ્મરણ કરી સાધક તેને
ધારી રાખે છે.
જિજ્ઞાસા : પહેલા કાઉસ્સગ્ગમાં અતિચારોનું ચિંતન ન કરતાં, ત્રીજા કાઉસ્સગ્ગમાં અતિચારનું ચિંતન શા માટે કરવામાં આવે છે ?
તૃપ્તિ : પહેલો કાઉસ્સગ્ગ કરતી વખતે કદાચ થોડી નિદ્રાનો સંભવ હોય તો અતિચારોની નોંધ સારી રીતે નથી લઈ શકાતી, તેથી અતિચારોનું સારી રીતે ચિંતન ક૨વા ત્રીજા કાઉસ્સગ્ગમાં અતિચારોનું ચિંતનં કરાય છે. .
કાયોત્સર્ગ પા૨ી અનંતા સિદ્ધોને સ્મરણમાં લાવી, આવી શુદ્ધ અવસ્થા મને ક્યારે પ્રાપ્ત થાય તેવી ભાવના ભાવવા માટે ‘સિદ્ધાણં બુદ્ધાણં’ સૂત્ર બોલાય છે. ૮. ત્રીજું આવશ્યક - વંદન :
૧. પછી ઉભડક બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહવી અને ઊભા થઈ સુગુરુવંદન સૂત્ર બોલી બે વાંદણા દેવા.
આચારશુદ્ધિના ત્રણ કાયોત્સર્ગ કર્યા પછી ગુરુસમક્ષ ધારી રાખેલા અતિચારોની-દોષોની આલોચના-પ્રકાશના કરવાની છે. આ આલોચના ગુરુ ભગવંતના વિનયપૂર્વક કરવી જોઈએ. તે વિનય પ્રદર્શિત ક૨વા માટે મુહપત્તિનું પડિલેહણ કરવા દ્વારા આત્માનું અને કાયાનું પ્રતિલેખન કરી, ગુરુભગવંતને બે વાંદણા અપાય છે. આ રીતે વંદન કરતાં સાધક ગુરુભગવંતના ચરણસ્પર્શ કરીને આનંદનો અનુભવ કરે છે.
૯. ચોથું આવશ્યક - પ્રતિક્રમણ :
૧. પછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! રાઈઅં આલોઉં' એમ કહી પાપોની આલોચના કરવાની આજ્ઞા માગવી અને તે મળ્યેથી ‘ઇચ્છું’ કહી ‘આલોએમિ જો મે રાઈઓ અઈઆરો' સૂત્ર બોલવું.
૨. પછી ‘સાત લાખ અને અઢાર પાપસ્થાનક' બોલી ‘સવ્વસ્ટ વિકરાઈઅ' બોલી ગુરુભગવંત પાસે પાપશુદ્ધિનો ઉપાય માગતા ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !' બોલવું, ગુરુ કહે ‘પડિક્કમેહ' ત્યારે ‘ઇચ્છું, તસ્સ મિચ્છા મિ દુક્કડં' કહી તેનો સ્વીકાર કરવો.