________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ - હેતુઓ સહિત
૩૫
૩. પછી સવલોએ અરિહંત-ચેઈઆણં' અને “અન્નત્થ' બોલી પુનઃ એક
લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૪. પારીને પુફખરવરદીવઢ', 'સુઅસ્સે ભગવઓ.... વંદણવરિઆએ.' તથા “અન્નત્થ' સૂત્રો બોલી “નાણમિ' સૂત્રનો કાયોત્સર્ગ કરવો. તે સૂત્ર ન
આવડતું હોય તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૫. પારીને “સિદ્ધાણં બુદ્ધાણં' બોલવું. સમતાભાવનું સ્મરણ કર્યા પછી સાધક જ્ઞાન, દર્શન અને ચારિત્રના આચારોની શુદ્ધિ દ્વારા તે તે ગુણોની વૃદ્ધિ અર્થે ત્રણ કાયોત્સર્ગ કરે છે. તેમાં પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિ માટે ઇચ્છામિ ઠામિ સૂત્ર દ્વારા પોતાનાથી રાત્રિમાં કયાં કયાં દોષોનું સેવન થયું તેની વિચારણા કરે છે અને કાઉસ્સગ્નમાં અરિહંતના ધ્યાન દ્વારા ચારિત્રમોહનીય કર્મનો નાશ કરી ચારિત્રગુણની વૃદ્ધિ કરે છે.
જિજ્ઞાસા : દેવસિક પ્રતિક્રમણમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે અને અહીં એક જ લોગસ્સનો કાઉસગ્ગ કેમ ?
તૃપ્તિ દિવસ કરતાં રાત્રિમાં પ્રવૃત્તિ ઓછી હોવાને કારણે રાત્રિમાં અલ્પ દોષ લાગવાનો સંભવ છે. તેથી અહીં પ્રાયશ્ચિત્તનું પ્રમાણ અલ્પ છે. આવો ખુલાસો પ્રતિક્રમણ હેતુગર્ભ વિધિ ગ્રંથમાં જોવા મળે છે.
કાયોત્સર્ગ પારી પ્રગટ લોગસ્સ બોલે છે. તે દ્વારા પુનઃ ચારિત્રાદિ ગુણોમાં પરમ નિમિત્તભૂત ચોવીસેય તીર્થકરની સ્તવના-કીર્તન કરાય છે. આથી આ લોગસ્સનું ઉચ્ચારણ તે જ ચઉવિસત્થો નામનું બીજું આવશ્યક છે.
ત્યાર પછી સર્વ જિનબિંબોના વંદન આદિ નિમિત્તે કાઉસ્સગ્ન કરવાનો સંકલ્પ કરીને દર્શનાચારની શુદ્ધિ અર્થે એક લોગસ્સનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ બન્ને કાયોત્સર્ગમાં લોગસ્સના સહારે કેવી રીતે ધ્યાન કરવાનું છે તે દેવસિક પ્રતિક્રમણની વિધિમાંથી જોઈ લેવું.
બીજો કાયોત્સર્ગ પારી શ્રત પ્રત્યે ભક્તિભાવ ઉલ્લસિત કરવા માટે ‘પુફખરવરદી” અને “સુઅસ ભગવઓ' સૂત્ર બોલાય છે; અને તે પછી જ્ઞાનાચારની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરાય છે. તેમાં “નાણમિ સૂત્ર' દ્વારા સંપૂર્ણ