SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સૂત્ર સંવેદના-૬ - લાગે છે અને ગુણની દિશામાં આગળ વધી શકાય છે. આ રીતે ધર્મજાગરિકા ન કરવામાં આવે તો આ બધા લાભોથી વંચિત રહેવાય છે. આમ પોતાના શુદ્ધસ્વરૂપની સ્મૃતિ તાજી કરીને સાધક રાત્રિ દરમ્યાન સેવાયેલા દોષોને દૂર કરવા સવારના પહોરમાં રાત્રિક પ્રતિક્રમણ કરે છે. ૧. સામાયિક : ૧. પ્રથમ સામાયિક લેવું. સામાયિક લેવાની વિધિ, તેમાં આવતાં સૂત્રના અર્થ, તે વખતે કરવા યોગ્ય સંવેદના તથા તેના કારણોનું સવિસ્તર વિવરણ સૂત્ર સંવેદના ભાગ-૧ માંથી સમજી લેવું ૨. કુસ્વપ્ન - દુઃસ્વપ્ન નિમિત્તે કાઉસ્સગ્ગ: ૧. સામાયિક લીધા પછી ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! કુસુમિણ-દુસુમિણ ઉઠ્ઠાવણિય રાઈસ - પાયચ્છિત્ત – વિરોહણë કાઉસ્સગ્ન કરું ?' કહી કાઉસ્સગ્ન કરવાની આજ્ઞા માંગવી, તે મળ્યથી ‘ઇચ્છે' કહી કુસુમિણ - દુસુમિણ - ઉઠ્ઠાવણિય રાઈસ - પાયચ્છિા - વિસોહણ€ કરેમિ કાઉસ્સગ્ગ', “અન્નત્થ' સૂત્ર બોલી ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. (રાત્રિમાં જો કામ-ભોગાદિકના કુ:સ્વપ્ન આવ્યાં હોય તો સાગરવર ગંભીરા' સુધી નહીંતર ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ્ન કરવો) અને ન આવડે તો ૧૬ નવકારનો કાઉસગ્ગ કરવો. ૨. પારીને પ્રગટ લોગસ્સ કહેવો. આ કાઉસ્સગ્ગ કુસ્વપ્ન આદિથી બંધાયેલા પાપની શુદ્ધિ માટે કરવાનો છે. ખરાબ સ્વપ્નો બે પ્રકારના છે : કુસ્વપ્ન અને દુઃસ્વપ્ન. તેમાં રાગાદિમય સ્વપ્ન કે જેમાં અબ્રહ્મનું સેવન કર્યુ હોય કે સ્ત્રી આદિને રાગથી જોઈ હોય તો તે કુસ્વપ્ન કહેવાય છે. વળી, જે સ્વપ્ન દ્વેષાદિ ભાવનું સૂચક હોય કે આહાર, ભય આદિ સંબંધી હોય તેને દુઃસ્વપ્ન કહેવાય છે. કુસ્વપ્ન કે દુસ્વપ્ન તે અંદર પડેલા કુસંસ્કારો કે આત્માના મલિન ભાવનું સૂચક છે. આત્મા ઉપર અનાદિકાળથી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહના કુસંસ્કારો પડેલા છે. જ્યારે સાધકને સ્વપ્ન આદિ દ્વારા આત્મા ઉપર પડેલા આ સંસ્કારોનું
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy