________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
ભગવત્ સઝાય કરું ?” એમ કહી સક્ઝાય કરવાની ઈચ્છા પ્રગટ કરવી. અનુજ્ઞા મળે એટલે “ઈચ્છે' કહી બેસીને, એક નવકાર ગણીને
સાય કહેવી. તે પૂર્ણ થયે છતે પુનઃ એક નવકાર ગણવો. જેમના વચનના આધારે પ્રતિક્રમણ જેવી ક્રિયા કરી પોતે આત્મશુદ્ધિ કરી શકયો છે તેવા મહાપુરુષોના વચનોને વાગોળવા અને તેમના જીવનચરિત્રોને સ્મરણમાં લાવવા જ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કર્યા પછી સાધક સ્વાધ્યાય કરે છે. તે સ્વાધ્યાયની શ્રેયકારી ક્રિયામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મંગલાર્થે એક નવકાર ગણીને સ્વાધ્યાયનો શુભારંભ કરે.
સાધુએ ઉત્સર્ગ માર્ગે તો માંડલીમાં બેસી પ્રથમ પોરિસિ પૂર્ણ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો છે. તેના પ્રતિકરૂપે વર્તમાનમાં આદેશ લઈને મહાપુરુષોના જીવનચરિત્રો તથા સંયમાદિ ગુણોના ગુણગાનરૂપ સક્ઝાય બોલાય છે. તે સાંભળતાં સાધકનો સંયમ પાલનનો ઉત્સાહ વધે છે. વર્ષોલ્લાસ પ્રગટે છે. શુભ ભાવ વૃદ્ધિ પામે છે. આ સક્ઝાય એક વ્યક્તિ બોલે છે અને બીજા સહુ સાવધાન થઈને સાંભળે છે. સઝાયના અંતે મંગલ માટે નવકાર મંત્ર બોલાય છે. ૧૬. દુ:ખ તથા કર્મના ક્ષયાર્થે કાઉસ્સગ્ન : ૧. પછી ઊભા થઈને એક ખમાસમણ દઈ, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુખ-ફખય-કમ્મ-ફખય-નિમિત્તે કાઉસ્સગ્ન કરું એમ કહી આજ્ઞા માગવી, મળે એટલે “ઈચ્છે' કહી, દુફખ-ફખય-કમ્મ-ફખય-નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ' કહીને, “અન્નત્થ' સૂત્ર બોલી સંપૂર્ણ ચાર લોગસ્સ અને ન
આવડે તો ૧૬ નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૨. તે પારીને “નમોડહંત' કહી ‘લઘુશાંતિ' સૂત્ર બોલવું. જે અન્ય સાધકોએ
કાઉસ્સગ્નમાં જ સાંભળવું. ૩. પછી કાઉસ્સગ્ગ પારી પ્રગટ “લોગસ્સ કહેવો. ૪. ત્યારપછી એક ખમાસમણ દઈને અવિધિ આશાતના અંગે “મિચ્છા મિ
દુક્કડ' કહેવું. અતિચારમાં જણાવ્યું છે કે, “કર્મક્ષયનિમિત્તે લોગસ્સ દસ-વીસનો કાઉસ્સગ્ગ કીધો નહિ' આ વચનથી સમજી શકાય એવું છે કે, સાધુ અને શ્રાવકોએ દુઃખક્ષય અને કર્મક્ષય માટે કાયોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ અને ન કરે તો અતિચાર લાગે આવા અતિચારથી બચવા માટે પ્રતિક્રમણના અંતે કર્મક્ષય નિમિત્તે જઘન્યથી ચાર