________________
૨૬
સૂત્ર સંવેદના
ઉપકારને યાદ કરી તેમને વંદના કરી, સાધક કંઈક અંશે કૃતાર્થતાનો અનુભવ કરે છે. ગુરુને વંદના કરતા પુનઃ “અઢાઈજેસુ' બોલી દ્રવ્ય અને ભાવથી સંયમ જીવનનો નિર્વાહ કરતા અઢીદ્વિપમાં રહેલા સર્વ સાધુભગવંતોને વંદન કરે છે.
જિજ્ઞાસા દેવવંદન તથા ગુરુવંદન દ્વારા પ્રારંભમાં મંગલ કરેલ તો પુનઃ મંગલ કરવાનું શું પ્રયોજન ?
તૃપ્તિઃ પ્રારંભમાં આ ક્રિયાની નિર્વિને સમાપ્તિ થાય તે માટે મંગળ કરેલું અને અંતે પ્રતિક્રમણથી પ્રગટેલ શુભભાવ ચિરકાળ ટકી રહે તે માટે મંગળે કરાય છે અથવા સર્વ ધર્માનુષ્ઠાનની સફળતા દેવગુરુની ભક્તિથી છે. આદિ અને અંતમાં કરેલ દેવ અને ગુરુની વંદનારૂપ ભક્તિ સર્વ ક્રિયા સાથે સંકળાયેલી છે માટે અંતમાં પણ દેવગુરુની વંદના કરવામાં આવે છે. ૧૫. પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિનો કાઉસ્સગ્ન ? ૧. પછી ઊભા થઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ દેસિસ પાયચ્છિત વિસોહણë કાઉસ્સગું કરું ?” એમ બોલી કાઉસ્સગ્નની આજ્ઞા માગવી, તે મળે એટલે “ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરી “દેવસિઅ-પાયરિચ્છવિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ' તથા અન્નત્ય બોલી ચાર લોગસ્સ અને ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તે પારીને પ્રગટ
લોગસ્સ' સૂત્ર બોલવું. પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત્ત દ્વારા આત્મશુદ્ધિ કરી હોવા છતાં, અનાદિ કુસંસ્કારોના કારણે પણ કયાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો તેની શુદ્ધિને ઇચ્છતો સાધક પુનઃ પ્રાયશ્ચિત્તની વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરે છે. તેમાં લોગસ્સના એક-એક પદોના માધ્યમે પ્રતિક્રમણના ફળરૂપ પરમશુદ્ધ અવસ્થાને પામેલા ચોવીસે તીર્થકરોનું ધ્યાન કરે છે અને તે દ્વારા પોતાના આત્માને પણ શુદ્ધિની દિશામાં આગળ વધારવા પ્રયત્ન કરે છે. આ શુદ્ધિની દિશામાં આગળ જતાં પ્રગટેલા આનંદને વ્યક્ત કરવા પ્રગટ લોગસ્સ બોલાય છે.
સઝાય :
૧. પછી એક ખમાસમણ આપવા દ્વારા વંદન કરીને. ઈચ્છાકારેણ સંસિહ
ભગવત્ સક્ઝાય સંદિસાહું ?” એમ કહી સક્ઝાયનો આદેશ માગવો. તે મળે એટલે “ઈચ્છે’ કહી પુનઃ ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ