________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
૨૫
આપ મને શિખામણ આપો, જેથી હું વિશેષ સાવધ બનું. પાપનું પ્રતિક્રમણ કરીને આપની કૃપાથી કાંઈક શુદ્ધ થયો છું. પરંતુ પુનઃ પુનઃ આ પાપમાં ન પટકાઉ તે માટે કૃપા કરીને ભગવંત ! આપ મને હિતશિક્ષા આપો !' આમ વિનંતી કરી સાધક ગુરુની હિતશિક્ષા સાંભળવા બેસે.
આ અંગે શ્રી ઓઘનિયુક્તિગ્રંથમાં કહ્યું છે કે, છે આવશ્યક પૂર્ણ કરી આરાધક આત્માનુશાસ્તિ માટે અંતર્મુહૂર્ત કાળ માંડલીમાં જ બેસી રહે. ગુરુભગવંત ત્યારે દિવસ દરમ્યાન પોતે શાસ્ત્રવાંચન અને ચિંતન કરીને જે તત્ત્વ પ્રાપ્ત કર્યું હોય તે તત્ત્વ તથા અપૂર્વ સામાચારી શિષ્યને જણાવે અને મોક્ષેચ્છુ શિષ્ય તેને દત્તચિત્ત બની સાંભળે. .
લોકમાં જેમ શુભ કાર્યથી થયેલો આનંદ ગીત-નૃત્યાદિ દ્વારા વ્યક્ત કરાય છે. તેમ પ્રતિક્રમણની આ ક્રિયાની નિર્વિને સમાપ્તિના આનંદને વ્યક્ત કરવાના હેતુથી આ ક્રિયા બતાવવા દ્વારા જેમણે આપણી ઉપર અસીમ ઉપકાર કર્યો છે તે વર્ધમાનસ્વામીની વર્ધમાન સ્વરે સ્તવના કરવામાં આવે છે.
તેમાં સૌ પ્રથમ ગુરુભગવંત એક ગાથા એકલા બોલે છે અને શિષ્યવર્ગ તેમનો વિનય કરવા મૌન બેસી રહે છે. ત્યારપછી સૌ મળીને ત્રણ ગાથા બોલે છે. અહીં પુરુષો “નમોડહેતુ સિદ્ધા...” બોલી નમોડસ્તુ વર્ધમાનાય” સ્તોત્ર બોલે છે. ' ૨. પછી ‘નમોડલ્થ સં' સૂત્ર બોલી સ્તવન કહેવું.
૩. પછી “વરકનક' બોલી પૂર્વની જેમ “ભગવાનાં.' આદિ બોલવાપૂર્વક ચાર આ ખમાસમણા આપવા. ૪. પછી શ્રાવક-શ્રાવિકાઓ જમણો હાથ ચરવળા ઉપર સ્થાપી ‘અઢાઈજેસ'
સૂત્ર બોલે. પ્રતિક્રમણ પૂર્ણ કર્યા બાદ મહા મંગળકારી આ ક્રિયા જેની કૃપાથી નિર્વિબે પૂર્ણ થઈ છે, તે દેવ અને ગુરુને સાધક પુનઃ વાંદે છે. આ વંદના માટે જ “નમોહન્દુ છું' સૂત્ર બોલી, મધુર સ્વરે, ગંભીર અવાજે, એકાગ્રમને, પૂર્વપુરુષ વિરચિત સ્તવન ગાઈને તે વિતરાગભાવને અભિમુખ થવા યત્ન કરે છે.
ત્યારબાદ ગુરુભગવંતને વંદન કરવા માટે સાધક પુનઃ “ભગવાનé' આદિ બોલી ચાર ખમાસમણ દઈ, ગુરુભગવંતોને વંદના કરે છે. આ રીતે દેવ-ગુરુના ૧૩. સ્તવન ઓછામાં ઓછી પાંચ ગાથાઓનું હોવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી
પૂર્વાચાર્યની કૃતિ ગાવી જોઈએ.