________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
શ્રુતજ્ઞાનના ફળ સ્વરૂપ રત્નત્રયીની આરાધનાથી જેઓ સિદ્ધ અવસ્થાને પામ્યા છે, તે સર્વ સિદ્ધભગવંતોને વંદન કરવાના હેતુથી ત્યાર પછી “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલાય છે. આ સૂત્ર બોલતી વખતે હું પોતે પણ સિદ્ધ સ્વરૂપી છું, પરંતુ કમેં મારી તે અવસ્થાને આવરી (ઢાંકી) દીધી છે. તે કર્મના આવરણોને દૂર કરી હું મારા સિદ્ધ સ્વરૂપને ક્યારે પ્રગટ કરું, એવો ભાવ મનમાં લાવવાનો છે. આ સર્વ સિદ્ધભગવંતોને તથા સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો માર્ગ બતાવનાર આસન ઉપકારી શ્રી મહાવીરસ્વામી પરમાત્માને તથા તેમનાથ ભગવાનને અને ચારિ અટ્ટ દસ દોય' પદો ‘દ્વારા અષ્ટાપદ આદિ તીર્થોને પણ વંદના કરવામાં આવે છે.
૧૨. સહાયક દેવ-દેવીનું ઔચિત્યઃ ૧. પછી “સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ' તથા “અન્નત્ય સૂત્ર' બોલી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. તે પારીને પુરુષોએ ‘નમોડહતું.' કહી
સુઅદેવયાની થાય' કહેવી અને સ્ત્રીઓએ “કમલદલની સ્તુતિ કહેવી. ધર્મની સમજ શ્રુતજ્ઞાનથી મળે છે. અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં શ્રુતદેવી પણ
12. ચત્તારિ અટ્ટ દસ દોય (૧) (૪૮)(૧૦+૨) = ૨૪ : અષ્ટાપદ ઉપર રહેલા ૨૪ તીર્થકરોની પ્રતિમાને વંદના (૨) (૪૪૮)+(૧૦૪૨) = પર : નંદીશ્વર દ્વીપના તીર્થમાં રહેલ પર ચૈત્યોને વંદના (૩) (૮)+(૧૦+૨) = ૨૦ : સમેતશિખર તીર્થ ઉપર, ચત્તારી એટલે ત્યાગ કર્યો છે
આંતર શત્રુઓનો એવા ૨૦ તીર્થકરોને વંદના અથવા
૨૦ વિહરમાન તીર્થકરોને વંદના (૪) (૮)૪(૧ર) = ૧૦૦: ચત્તારિ = ત્યાગ કર્યો છે આંતર શત્રુઓને એવા ઉત્કૃષ્ટ
કાળે પાંચ મહાવિદેહમાં વિચરતા ૧૬૦તીર્થકરને વંદના (૫) (૪)>(૮+૧૦). = ૭૨ : ત્રણ ચોવીસીના ૭૨ જિનને વંદના (૯) (૪૮)×(૧૦xર) = ૨૪૦: ૫ ભરત + ૫ ઐરાવત ના વર્તમાન ચોવિસીના ૨૪૦
તીર્થકરોને વંદના (૭) (૪૮) +૧૦૦+૨ = ૧૭૦ : ઉત્કૃષ્ટ કાળે અઢીદ્વીપમાં વિહરમાન ૧૭૦ તીર્થકરોને
વંદના (૮) “ચત્તારિ' એટલે અનુત્તર, રૈવેયક, વૈમાનિક અને જ્યોતિષી એમ ૪ પ્રકારના દેવલોકમાં
અટ્ટ' એટલે આઠ વ્યંતર નિકાયમાં ‘દસ” એટલે ભવનપતિમાં અને “દોય” એટલે અધોલોકમાં તથા તિર્યંગુ લોકમાં = મનુષ્ય લોકમાં શાશ્વત અને અશાશ્વતા જે જિન પ્રતિમાજી આમ ત્રણે લોકમાં રહેલી સર્વ જિનપ્રતિમાને વંદના.