________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
‘અન્નત્ય’ સૂત્ર બોલી બે લોગસ્સ ‘દેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
૧૯
૩. કાઉસ્સગ્ગ પારીને ‘લોગસ્સ', ‘સવ્વલોએ અરિહંત-ચેઇઆણં' તથા ‘અન્નત્થ' સૂત્ર બોલી એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
૪. કાઉસ્સગ્ગ પારીને ‘પુક્ખરવરદીવર્ડ્સે' ‘સુઅલ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ’ તથા ‘અન્નત્થ’ સૂત્ર બોલી એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. ૫. કાઉસ્સગ્ગ પારીને 'સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલવું.
જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોના વિકાસ વિના ક્યારેય સાચા અર્થમાં મૈત્રીભાવ પ્રગટતો નથી અને પ્રગટેલો મૈત્રીભાવ ટકતો નથી. આ જ કારણથી પ્રતિક્રમણ કર્યા પછી સાધક જ્ઞાનાદિ ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ માટે કાયોત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ દ્વારા પોતાના મન, વચન, કાયાના યોગોને એવા તૈયાર કરે છે કે, તે પુનઃ પાપ કરવા પ્રેરાય જ નહિ.
સર્વ ધર્માનુષ્ઠાન સમતાભાવ પૂર્વક કરવાથી સફળ થાય છે. તથા સર્વ ધર્મ ક્રિયાનું ફળ વિશિષ્ટ સમતા ભાવની પ્રાપ્તિ છે. આ વાતના સ્મરણ માટે સૌ પ્રથમ ‘કરેમિ ભંતે’ સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. પ્રતિક્રમણની ક્રિયામાં આ સૂત્ર : ૧. આદિમાં, ૨. પ્રતિક્રમણ સૂત્ર (વંદિત્તુo સૂત્ર) કહેતાં પહેલાં અને ૩. અહીં એમ ત્રણ વાર બોલાય છે.
‘કરેમિ ભંતે’ સૂત્ર બોલ્યા પછી ચારિત્રના અતિચારોની વિશેષ શુદ્ધિ માટે ‘ઇચ્છામિ ઠામિ' સૂત્ર બોલવામાં આવે છે. પછી ‘તસ્સ ઉત્તરી’ સૂત્ર દ્વારા ચારિત્રાચારમાં સ્ખલનાથી લાગેલા પાપોના નાશ માટે કાયોત્સર્ગ કરવાનો સંકલ્પ કરીને, ‘અન્નત્થ’ સૂત્ર કહી ચારિત્રાચારની વિશેષતા હોવાને કા૨ણે બે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરાય છે.
આ કાઉસ્સગ્ગ ચારિત્રાચારની વિશુદ્ધિ દ્વારા ચારિત્રગુણની વૃદ્ધિ અને સેવાયેલા દોષો પુન: ન સેવાય તેવી ભૂમિકાનું સર્જન કરવા માટે કરવાનો છે. તેથી તેમાં લોગસ્સના સહારે જ્યારે તીર્થંકરોના ધ્યાનમાં એકાગ્ર બનાય, ત્યારે આત્મભાવમાં સ્થિર રહેવા સ્વરૂપ તેમના શ્રેષ્ઠ ચારિત્રને સ્મૃતિમાં લાવવા વિશેષ યત્ન કરવાનો છે. કેમ કે, ચોવીસ તીર્થંકરોના નિર્મળ ચારિત્ર પ્રત્યે આદર ઉત્પન્ન થતાં, તેવું જ