________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
૧૭
સંસારમાં નથી હોતું. તે સતત સંસારમાંથી શીધ્ર પાર પમાડનાર સંયમરૂપી જહાજને ઝંખે છે, પરંતુ વર્તમાનમાં તેવું સામર્થ્ય ન દેખાતા સંયમ માટે સત્ત્વ પ્રગટાવવા તે સમ્યક્ત્વ મૂલ બાર વ્રત સ્વરૂપ તરાપાનો સહારો લે છે. “વંદિતુ” સૂત્ર બોલતાં શ્રાવક પંચાચાર અને તેમાં પણ ચારિત્રાચારમાં તેણે સ્વીકારેલા બારવ્રતોનું સ્મરણ કરે છે. દિવસ દરમ્યાન તેમાં ક્યાં ક્યાં સ્કૂલના થઈ છે તેની નોંધ લે છે અને વિચારે છે કે, હું કેવો કાયર છું!મેં સંસાર સાગરથી તરવા માટે તરાપા જેવા નાના નાના વ્રતો જ લીધા છે અને છતાં હું તેને પણ અણિશુદ્ધ પાળી શકતો નથી. ધિક્કાર છે મને કે, લોભાદિને વશ થઈ મેં તેમાં પણ દોષો લગાડ્યા. આવું વિચારી તે પોતાના દુષ્કૃત્યોની, પોતાના પ્રમાદની અને સેવેલા દોષો આદિની નિંદા-ગહ કરે છે અને તે દોષોનું પુન: સેવન ન થાય તેવો સંકલ્પ કરી પ્રતિક્રમણ કરે છે. અહીં અતિચારોના પ્રતિક્રમણનો ત્રીજો તબક્કો નિષ્પન્ન થાય છે.
આ રીતે ધીમે ધીમે, ઉપયોગપૂર્વક, અતિ સાવધાન બની સંવેગની વૃદ્ધિ થાય તે રીતે શ્રાવક જેમ જેમ વંદિતુ” સૂત્ર બોલતો જાય છે તેમ તેમ તેના હૈયા પરથી પાપનો ભાર ઓછો થતો જાય છે. લાકડાની ભારી ઉચકતો મજૂર જેમ ભાર ઉતારી હળવાશની અનુભૂતિ કરે છે, તેમ શ્રાવક પણ આ સૂત્ર દ્વારા ગુરુ પાસે આલોચના, નિંદા અને ગહ કરીને અનેરી હળવાશનો અનુભવ કરે છે. હળવો થયેલો શ્રાવક તસ્ય ધમ્મસ્સ”પદ બોલીને વિશેષ આરાધના માટે ઉલ્લસિત થતો ઊભો થાય છે, અને ‘અભુઢિઓમિ આરાણાએ બોલી અવગ્રહમાંથી બહાર નીકળી સૂત્રને પૂર્ણ કરે છે.
૧૦. સુગુરુની ક્ષમાપના : ૩. વંદિતુ' કહીને બે વાંદણા દેવા અને પછી ઈચ્છા અભુઢિઓ બોલી'
ગુરુભગવંતને પામવા. વંદિતુ સૂત્ર બોલીને પ્રતિક્રમણ કર્યા પછી ગુરુભગવંત પ્રત્યે થયેલા અપરાધની ક્ષમા યાચવાની છે; પરંતુ ક્ષમાપના પણ વંદનપૂર્વક જ કરવી જોઈએ, તેથી પ્રથમ બે વાંદણા બોલીને ગુરુભગવંતને દ્વાદશાવર્ત વંદન કરીને “અભુઢિઓ” સૂત્ર દ્વારા અપરાધની ક્ષમા યાચવામાં આવે છે.
પાંચ કે અધિક સાધુ ભગવંત હોય તો ત્રણને વાંદવા જોઈએ અન્યથા જે જ્યેષ્ઠ હોય તેમને વાંદવા જોઈએ. વળી, ક્યાંક એવું પણ વિધાન છે કે ગુરુને પ્રથમ ખમાવી અનુક્રમે સર્વેને ખમાવે. આના દ્વારા ગુરુભગવંત પ્રત્યેની ભક્તિ ઉલ્લસિત