________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
માટે આ પ્રતિક્રમણ આવશ્યક છે. પરમ કૃપાળુ પરમાત્માએ પાપથી પાછા ફરવાનો શ્રેષ્ઠ ઉપાય આલોચના, નિંદા, ગર્હા અને પ્રતિક્રમણ જણાવેલ છે. આ જ કારણથી
કાયોત્સર્ગમાં સંકલિત કરીને ધારી રાખેલા અતિચારોની આલોચના કરવાની અનુજ્ઞા મેળવવા માટે સાધક ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ દેવવિસઅં આલોઉં’ કહી, ગુરુભગવંત પાસે દિવસ સંબંધી આલોચના માટેની આજ્ઞા માંગે છે.
૧૫
ગુરુભગવંત પણ શિષ્યની યોગ્યતાને જોઈ તેની ભાવના અનુસાર આજ્ઞા આપે છે અને શિષ્ય પણ ‘ઇચ્છું’ કહી આજ્ઞાનો સ્વીકાર કરી, ‘ઇચ્છામિ ઠામિ’ સૂત્રના માધ્યમે કાયોત્સર્ગમાં ચિંતવેલા અતિચારોને યાદ કરી, સમ્યક્ પ્રકારે શરી૨ નમાવી, હાથ જોડી, વિધિ પ્રમાણે મુહંપત્તિ અને ચરવળો ધારણ કરી, પૂર્વે (નાણંમિ સૂત્ર દ્વારા) માનસિક રીતે નોંધમાં લીધેલા અતિચારો ગુરુ સમક્ષ વિસ્તારથી આલોવે (કહે) છે. ત્યાર પછી ચોરાશીલાખ જીવાયોનીમાંથી કોઈપણ જીવને પીડા પમાડી હોય તો તેની ‘સાત લાખ સૂત્રના’ માધ્યમે આલોચના કરે છે, અને અઢાર પ્રકારના પાપમાંથી કોઈપણ પ્રકા૨ના પાપનું સેવન થયું હોય તો તેની આલોચના ‘પહેલે પ્રાણાતિપાત સૂત્રથી કરે છે. ગુરુ સમક્ષ દોષોનું પ્રકાશન કરવાથી અહીં અતિચારોના પ્રતિક્રમણનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. જેમ જેમ સાધક સ્પષ્ટ ઉચ્ચાર અને અર્થના વિચારપૂર્વક આ સૂત્રને બોલતોં જાય છે તેમ તેમ તેનો પશ્ચા-તાપનો પરિણામ તીવ્ર તીવ્રતર થતો જાય છે, જે પાપકર્મના નાશનું કારણ બને છે.
6
૯. વંદિત્તુ - દોષોનું પ્રતિક્રમણ :
૧. પછી ‘સવ્વસવિ.’ સૂત્ર બોલી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્' કહી ગુરુ પાસે પ્રકાશિત કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત માગવું. ગુરુ કહે ‘પડિક્કમેહ’ એટલે “ઇચ્છું, તસ્સ મિચ્છા મિ દુક્કડં' કહી તેનો સ્વીકાર કરવો. ૨. ત્યારપછી ગોદોહિકાસને’ બેસી અનુક્રમે ‘નમસ્કારમહામંત્ર’, ‘કરેમિ ભંતે', ‘ઇચ્છામિ પડિક્કમિઉં.’ બોલી ‘વંદિત્તુ’ સૂત્ર બોલવું. તેમાં ‘તસ્સ ધમ્મસ કેવલિ-પન્નત્તસ્સ અબ્યુટ્ઠિઓમિ’ એ પદ બોલતાં ઊભા થવું અને અવગ્રહની બહાર જઈને સૂત્ર પુરું કરવું.
દિવસ દરમ્યાન જે પાપો થઈ ગયા હોય તેની આલોચના કરીને, સાધક ગુરુને
6. શ્રમણ ભગવંતો ‘ઠાણે કમણે ચંકમણે’ પાઠ બોલીને આલોચના કરે છે.
7. ગોદોહિકા-આસન : ગાય દોહવા બેસેલો ગોવાળ જેમ જમણો ઢીંચણ ઊંચો અને ડાબો ઢીંચણ · થોડો નીચો રાખી પગના અગ્રભાગને જમીન પર ટેકવી, બન્ને ઢીંચણો જમીનની ઉપર રાખી બેસે છે. આ આસનને ગોદોહિકા આસન કહેવાય છે. તે અપ્રમત્તભાવનું પોષક છે.